Abtak Media Google News

ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા કથાકાર જીજ્ઞેશદાદાએ પુસ્તકોનું કર્યું લોકાર્પણ

તારીખ 14 જૂન ક્ધવેન્શન સેન્ટર, સરસાણા સુરત ખાતે રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા વીરાંજલિ કાર્યક્રમનું ભવ્ય આયોજન થયેલ હતું.

જે કાર્યક્રમમાં પ્રસિદ્ધ હાસ્યકાર અને કટાર લેખક સાંઈરામ દવેના હાસ્ય-સાહિત્યના બે પુસ્તકો વંદેહાસ્યમ તથા એકાવન સ્માઈલીનું વિમોચન થયું. ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા ભાગવત કથાકાર જીગ્નેશ દાદાએ આ બંને પુસ્તકોનું લોકાર્પણ કર્યું હતું.

આશરે પંદર હજાર જેટલી જનમેદનીએ આ ઉપક્રમને હોંશભેર વધાવ્યો હતો. અત્રે નોંધનીય છે કે આ બંને પુસ્તકો આર.આર.શેઠ પ્રકાશનમાંથી બહાર પડેલ છે. હળવીફૂલ હાસ્ય કવિતાઓ અને લેખ રજૂ કરતાં પુસ્તકો વાંચકોને અવશ્ય ગમશે એવી સાંઈરામે શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.