Abtak Media Google News

૧પ લાખ બારદાનો બળીને ખાખ થઇ જવા પ્રકરણમાં હવે સરકારને રિપોર્ટ કરાશે

જૂના માર્કેટ યાર્ડમાં ગુજકોટદ્વારા સંગ્રહ કરવામાં આવેલ બારદાનના જથ્થામાં ભેદી આગ લાગી હતી. આ અંગેનો અહેવાલ શહેર-રના પ્રાંત અધિકારીનાં નેજા હેઠળ તૈયાર કરાયો હતો. જે જિલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડેને સુપ્રત કરવામાં આવ્યો છે.

આ પ્રકરણમાં આગ આકસ્મિક હતી કે લગાવવામાં આવી હતી તે દિશામાં પોલીસે પ્રાથમીક તપાસ હાથ ધરી હતી.

આ મામલે કબ્જે કરેલા સીસીટીવી કેમેરાના કુટેજ એફ.એસ.એસ. ની ટીમને સોંપાશે. હાલ આસપાસના તમામ વિસ્તારોમાં સીસી ટીવી કુટેજ એકત્રીત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

જુના માર્કેટ યાર્ડમાં ગુજકોટ દ્વારા ખાલી બારદાનનો જથ્થો જયા રાખવામાં આવ્યો હતો તે પ્લેટફોર્મ પર મંગળવારે આગ ભભુકતા અંદાજીત રૂ ૧૭ કરોડના બારદાન આ આગમાં ખાક થઇ ગયા હતા. ગોંડલ અગ્નિકાંડ બાદ આ ઘટના કોઇ મોટા કૌભાંડને છુપાવવા માટે બને હોવાની શંકા ઉઠવા પામીછે. આ દિશામાં પ્રાંત અધિકારી પટેલે તપાસ આદરી હતી.પ્રાંત અધિકારીએ તૈયાર કરેલો અહેવાલ જિલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડેને સુપ્રત કરવામાં આવ્યો છે. રૂ ૧૭ કરોડના ૧પ લાખ બારદાનો બળીને ખાખ થઇ જવા પ્રકરણમાં જીલ્લા કલેકટર દ્વારા સરકારને રીપોર્ટ કરાશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.