Abtak Media Google News

સવારે ૮ કલાકે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરાશે

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી માર્ચ-૨૦૧૮ ધો.૧૨ કોમર્સની પરીક્ષાની પરીણામની તારીખ ફરી જાહેર કરાઈ છે. બોર્ડના જણાવ્યા અનુસાર ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરીણામ ૩૧મી મેએ સવારે ૮:૦૦ કલાકે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, રાજયમાં લેવાયેલી બોર્ડ પરીક્ષાઓમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પહેલા જ પરીણામ બહાર પડી ચુકયું છે. તેમજ ધોરણ ૧૦ના પરીણામની જાહેરાત પણ કરવામાં આવી છે. ધો.૧૦નું પરીણામ ૨૮મેએ સવારે બોર્ડ દ્વારા વેબસાઈટ પર જાહેર થનાર છે.

વિજ્ઞાન પ્રવાહમાં પાંચ વર્ષનું સૌથી ઓછુ પરીણામ આવ્યું છે ત્યારે સામાન્ય પ્રવાહનું પરીણામ થોડુ ઉંચુ આવે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કોલેજોમાં પ્રવેશ અંગે હરીફાઈ જોવા મળશે તેવા સંકેતો જણાઈ રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.