ગોંડલ તાલુકાના રીબડા ગામના ક્ષત્રિય આગેવાન અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજાની તબીયત અંગે અનેક અટકળો અને અફવા ફેલાયેલી હતી ત્યારે તેમની તબીયત એકદમ સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે.
કોરોના બાદ તેમને મ્યુકર માઇક્રોસિસ થતા અનિરૂધ્ધસિંહ જાડેજાની તબીયત નાજુક હોવા અંગેની સોશ્યલ મિડીયામાં વાયરલ થયેલી અફવાનું ખંડન કરતો સોશ્યલ મિડીયામાં પોસ્ટ મુકવામાં આવી છે. જેમાં દેશના ઇન્ફેકશનના ખ્યાતનામ તબીબ અતુલ પટેલ અનિરૂધ્ધસિંહ જાડેજાની તબીયત એકદમ સ્વસ્થ હોવાની પુષ્ટી આપી હતી અને તેમની સાથેની તસવીર સોશ્યલ મિડીયામાં સેર કરી છે. લાંબા સમય સોશ્યલ મિડીયામાં ચાલતી અફવાનો અંત આવ્યો છે.