Abtak Media Google News

ભારતના તેમ જ મુંબઈના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન લાલચંદ રાજપૂતનું એવું માનવું છે કે ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન રોહિત શર્માએ બૅટિંગમાં ઓપનિંગમાં રમવું જોઈએ, કારણકે એવું કરવાથી ટીમને સારું સ્ટાર્ટ મળશે.

રાજપૂતે જણાવ્યું હતું કે ‘રોહિત અગાઉ ઘણી વાર ઓપનિંગમાં બહુ સારું રમી ચૂક્યો છે. મોટા ભાગે કોઈ પણ ટીમ માટે શરૂઆત થાય તો એનો અંત સકારાત્મક આવતો હોય છે. રોહિતે દાવની શરૂઆત જ કરવી જોઈએ. બે વિકેટ પડ્યા બાદ ચોથા નંબરે રમવું એ તેના માટે સારું ન કહેવાય.’

મુંબઈ ઇન્ડિયન્સ આ વખતે સૂર્યકુમાર યાદવ અને એવિન લુઇસથી દાવની શરૂઆત કરે છે, વિકેટકીપર ઇશાન કિશન વનડાઉનમાં આવે છે અને પછી ખુદ રોહિત મેદાન પર ઉતરે છે. રોહિત બૅન્ગલોર સામેના ૯૪ રનને બાદ કરતા બાકીની મૅચોમાં ૨૦ રન પણ પાર નથી કરી શક્યો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.