Abtak Media Google News

આજે 7મીએ બેંકમાં રૂ. 2000ની નોટ જમા કરવાનો અથવા બીજી નોટ સાથે બદલવાનો છેલ્લો દિવસ છે.  આ પહેલા શુક્રવારે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે 2000 રૂપિયાની 96% થી વધુ નોટો બેંકમાં પાછી આવી છે, જેની કિંમત 3.43 લાખ કરોડ રૂપિયા છે.

કાલથી રિઝર્વ બેન્ક રૂ. 2000ની નોટ બદલી આપવાની સેવા શરૂ કરશે : ગવર્નર શક્તિકાંત દાસ

તેમાંથી 87% નોટો બેંકમાં જમા થઈ ગઈ છે.  બાકીની નોટો અન્ય નોટો માટે બદલી દેવામાં આવી છે.  તેમણે કહ્યું કે હાલમાં લગભગ 12 હજાર કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટો ચલણમાં છે, જે આવવાની બાકી છે.  અગાઉ, નોટો બદલવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી, પરંતુ આરબીઆઇએ તેની છેલ્લી તારીખ 7 ઓક્ટોબર 2023 સુધી લંબાવી હતી.

બેંકમાં નોટો જમા કરાવવાની અંતિમ તારીખ પછી, આરબીઆઇની 19 ઈસ્યુ ઓફિસમાં 2000 રૂપિયાની નોટ બદલી અથવા જમા કરાવી શકાય છે.  20 હજાર રૂપિયા સુધીની 2000ની નોટ એક સમયે બદલી શકાશે.  બીજી તરફ, જો તમે તેને તમારા બેંક ખાતામાં જમા કરાવવા માંગો છો, તો તમે ઈશ્યુ ઓફિસ દ્વારા કોઈપણ નંબરની રૂ. 2000 ની નોટો જમા કરાવી શકો છો.

ઉલ્લેખનીય છે કે 2000 રૂપિયાની નોટ નવેમ્બર 2016માં બજારમાં આવી હતી.  ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી.  તેમની જગ્યાએ નવી પેટર્નમાં રૂ.500 અને રૂ.2000ની નવી નોટો જારી કરવામાં આવી હતી.  જો કે, આરબીઆઈએ વર્ષ 2018-19થી 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું છે.  જ્યારે 2021-22માં 38 કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટો નાશ પામી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.