ધોરાજી જૈન સ્થાનકવાસી સંઘ સંચાલિત પ્રભુલાલ મુલજી મહેતા-જૈન ઉપાશ્રય ખાતે ૨૦૧૬થી જૈન ભોજનાલયનો પ્રારંભ કરાતા ચારે ફિરકાના ભાઈ-બહેનો લાભ લઈ રહેલ છે. રોજ બપોરે શુઘ્ધ, સાત્વિક ભોજન પીરસવામાં આવે છે. તેમજ ટિફિન આપવામાં આવે છે. તાજેતરમાં ચાતુર્માસ બિરાજમાન તપસમ્રાટ રતિલાલજી મ.સા.ના કૃપાપાત્રી મુકત-લીલમ-ભદ્ર ગુરુણીના પ્રવચન પ્રભાવિકા હસ્મિતાજી મ.સ.ની પ્રેરણાથી ધોરાજી નિવાસી હાલ કલકતા હરકુંવરબેન રતિલાલ શાહ તરફથી રૂા.૩ લાખનું દાન અર્પણ કરાયું છે. તેમજ પારસમૈયા ગુરુભકતે રૂા.૩૧ હજાર અને અન્ય દાતાઓએ મિષ્ટ ભોજન અને સાદા ભોજનની તિથિનો લાભ લીધેલ. પૂ.જયંતિલાલ મ.સા.નું પ્રથમ ચાતુર્માસ ધોરાજીમાં થયેલ તે સ્મૃતિમાં દશેરાના જન્મદિનની ખુશાલીમાં અનંતભાઈ શાહે લાભ લીધેલ છે. સંઘપ્રમુખ શરદભાઈ દાસાણી, કમલભાઈ મોદી વગેરે સુંદર વ્યવસ્થા સંભાળે છે. રૂા.૧૦૦૦/- ના ગુણાંકમાં ગમે તેટલા ટિફિનનો લાભ લઈ શકાશે. વધુ વિગત માટે મો.૯૮૨૫૨ ૨૧૮૩૯નો સંપર્ક કરવો.
Trending
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ
- હત્યાની કોશિશના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટર ઇભલો મહારાષ્ટ્રથી ઝડપાયો
- ગાંધીગ્રામ વિસ્તારની સગીરાને ધાક-ધમકી આપી નરાધમે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું