Abtak Media Google News

ધોરાજી જૈન સ્થાનકવાસી સંઘ સંચાલિત પ્રભુલાલ મુલજી મહેતા-જૈન ઉપાશ્રય ખાતે ૨૦૧૬થી જૈન ભોજનાલયનો પ્રારંભ કરાતા ચારે ફિરકાના ભાઈ-બહેનો લાભ લઈ રહેલ છે. રોજ બપોરે શુઘ્ધ, સાત્વિક ભોજન પીરસવામાં આવે છે. તેમજ ટિફિન આપવામાં આવે છે. તાજેતરમાં ચાતુર્માસ બિરાજમાન તપસમ્રાટ રતિલાલજી મ.સા.ના કૃપાપાત્રી મુકત-લીલમ-ભદ્ર ગુરુણીના પ્રવચન પ્રભાવિકા હસ્મિતાજી મ.સ.ની પ્રેરણાથી ધોરાજી નિવાસી હાલ કલકતા હરકુંવરબેન રતિલાલ શાહ તરફથી રૂા.૩ લાખનું દાન અર્પણ કરાયું છે. તેમજ પારસમૈયા ગુરુભકતે રૂા.૩૧ હજાર અને અન્ય દાતાઓએ મિષ્ટ ભોજન અને સાદા ભોજનની તિથિનો લાભ લીધેલ. પૂ.જયંતિલાલ મ.સા.નું પ્રથમ ચાતુર્માસ ધોરાજીમાં થયેલ તે સ્મૃતિમાં દશેરાના જન્મદિનની ખુશાલીમાં અનંતભાઈ શાહે લાભ લીધેલ છે. સંઘપ્રમુખ શરદભાઈ દાસાણી, કમલભાઈ મોદી વગેરે સુંદર વ્યવસ્થા સંભાળે છે. રૂા.૧૦૦૦/- ના ગુણાંકમાં ગમે તેટલા ટિફિનનો લાભ લઈ શકાશે. વધુ વિગત માટે મો.૯૮૨૫૨ ૨૧૮૩૯નો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.