Abtak Media Google News

બાકીદારોને વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ સ્કીમનો લાભ લેવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલનો અનુરોધ

ચડત વેરામાં હપ્તા યોજનાનો  લાભ લેવા માટે  રજીસ્ટ્રેશનની મૂદત આગામી 31મી માર્ચ પૂર્ણ થઈ રહી છે. જેનોલાભ લેવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે.

ર લાખ મિલકતની બાકી વેરાની પાંચસો કરોડની રકમ સહેલાઇથી મળી રહે તેમજ વધુમાં વધુ બાકીદાર મિલકતધારકો સમયાંતરે એડવાન્સમાં વેરો ભરવા પ્રોત્સાહિત થાય તે માટે  વન ટાઈમ  ઈન્સ્ટોલમેન્ટ સ્કીમ 14 ફેબ્રુૂઆરીથી અમલમાં મુકવામાં આવી હતી. જેનો આજદીન સુધીમાં અંદાજે 2930 જેટલાં મિલકતધારકોએ લાભ લીધો છે . તેમ સ્ટે . કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલે  જણાવ્યું છે.  આ  યોજના અંતર્ગત મિલકતધારકે પોતાની મિલકતના ચાલુ વર્ષના મિલકતવેરાની પૂરેપૂરી રકમ તથા અગાઉના વર્ષોની મિલકત વેરાની વ્યાજ સહિતની બાકી રકમના 10 % , 15 % , 25 % , 25 % અને 25 % મુજબ 5 વર્ષ સુધીમાં બાકી રકમ ભરપાઇ કરી શકે તેવી જોગવાઇ કરવામાં આવીં છે.

આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક મિલકતધારકે પોતાની મિલકતના ચાલુ વર્ષના મિલકતવેરાની પૂરેપૂરી રકમ તથા અગાઉના વર્ષોની મિલકતવેરાની વ્યાજ સહિતની બાકી રકમના 10 % મુજબની કુલ રકમ તા .31 માર્ચ સુધીમાં ભરપાઈ કરે તો વેરાની બાકી રહેતી રકમના બીજા વર્ષે 15 % મુજબ તેમજ ત્યારબાદના 3 વર્ષોમાં પ્રત્યેક વર્ષે 25 % મુજબ , એમ મળી , કુલ 5 વર્ષ સુધી આ યોજના અમલી રાખવાનું મંજુર કર્યુ છે. શહેરીજનોના  હિતને લક્ષમાં લઇ , આ યોજનાના અમલની નિયત તારીખના દોઢ માસ પહેલાં જ આ યોજના લાગુ કરવાનું મંજુર કરવામાં આવેલ છે.

બાકી મિલકતવેરો ભરવો હોય પણ એકસાથે ભરી શકતા ન હોય અને તેને કારણે વર્ષોવર્ષ 18 % જેટલું વ્યાજ ચડી રહ્યું છે તો તે મિલકતધારકો નવી અમલી બનેલ ‘ વન ટાઇમ ઇન્સટોલમેન્ટ સ્કીમ ’ હેઠળ આગામી ચાર વર્ષમાં કટકે કટકે ભરી શકશે અને તે દરમિયાન જૂના બાકી વેરાનું વધારાનું વ્યાજ પણ ચડતું બંધ થશે.

અંતમાં, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેની પુષ્કરભાઇ પટેલે શહેરીજનોને અનુરોધ કરતા જણાવે છે કે, બાકી રકમના એરીયર્સને હપ્તામાં ભરપાઇ કરવાના લાભની સાથોસાથ બાકી રકમ પર નવું વ્યાજ ચડવામાંથી મુક્તિ . સહિતનો બેવડો લાભ મળી શકશે , તો વધુ ને વધુ બાકી કરદાતાઓ આ યોજનામાં જોડાઇ અને રાહત મેળવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.