Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 57 મો પદવીદાન સમારંભ કાલે  11:30 ક્લાકે ગુજરાત રાજયના મહામહિમ રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને , ગુજરાત રાજયના શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની ખાસ ઉપસ્થિતિમાં યોજાનાર છે . આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 14 વિદ્યાશાખાના 43062 દિક્ષાર્થીઓને પદવીઓ તથા 147 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 57 મા ગરીમાપૂર્ણ પદવીદાન સમારંભમાં પદવી મેળવનાર તથા તમામ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ , તેમના વાલીઓ તથા સંબંધકર્તાઓએ પદવીદાન સમારંભના લાઈવ પ્રસારણનો લાભ લેવા અનુરોધ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 57 મા પદવીદાન સમારંભનું www.saurashtra university.edu , Saurashtra University Youtube Page A“¡ Facebook Page પરથી લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 57 મા પદવીદાન સમારોહમાં ગુજરાત રાજયની જુદી જુદી યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ ખાસ ઉપસ્થિત રહી સુવર્ણચંદક મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે.

57 મા પદવીદાન સમારોહમાં કુલ 13 વિધાશાખાના 126 વિદ્યાર્થીઓને કુલ 147 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે જેમાં દાતાઓ તરફથી કુલ 66 ગોલ્ડમેડલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ 81 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે . આ ગોલ્ડમેડલ મેળવનાર વિદ્યાર્થીઓને આ પદવીદાન સમારોહમાં વુડનના વિશિષ્ટ બોક્ષમાં પદવી એનાયત કરાશે.

Screenshot 7 12

એમ.પી. શાહ મેડીકલ કોલેજ , જામનગરની વિધાર્થીની  આનંદ તાન્યા ઈન્દ્રપાલને એમ.બી.બી.એસ. માં સૌથી વધુ 10 (દસ) ગોલ્ડમેડલ અને 15 પ્રાઇઝ , પી.ડી.યુ. સરકારી મેડીકલ કોલેજ , રાજકોટની વિદ્યાર્થીની કાપડીયા ઘીરતા અતુલભાઈને એમ.એસ. બ્રાન્ચ -1 જનરલ સર્જરીમાં 03 (ત્રણ) ગોલ્ડમેડલ , એમ.પી. શાહ મેડીક્લ કોલેજ , જામનગરના વિદ્યાર્થી વડાલીયા અક્ષત કેશુભાઈને એમ.એસ. બ્રાન્ચ -1 જનરલ સર્જરીમાં 03 (ત્રણ) ગોલ્ડમેડલ , ગાયત્રી ગુરૂકૃપા બી.એડ. કોલેજ , લાઠીના વિદ્યાર્થી લશ્કરી તુષાર રાજુભાઈને એલ.એલ.બી. સેમ -6 માં 03 (ત્રણ) ગોલ્ડમેડલ , દોશી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ , વાંકાનેરની વિદ્યાર્થીની વોરા હેતલબેન ત્રિભોવનભાઈને બી.એ. ગુજરાતીમાં 03 (ત્રણ) ગોલ્ડમેડલ એનાયત થશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 57 મા પદવીદાન સમારોહની ભવ્ય સફળતા માટે જુદી જુદી કમિટીઓની રચના કરવામાં આવેલ છે.ગરીમાપૂર્ણ 57 મા પદવીદાન સમારોહને સફળ બનાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના  કુલપતિ  પ્રોફે . ગિરીશભાઈ ભીમાણીના માર્ગદર્શન હેઠળ પરીક્ષા નિયામક નીલેષભાઈ સોની , પરીક્ષા ડીગ્રી વિભાગ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પરિવારના સૌ કાર્યરત છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.