Abtak Media Google News

સ્વ. નિરુભાઇ  માવડીયાની રાહબરીમાં તૈયાર થયેલી કલાકૃતિઓનું આવતીકાલે તા. ૧પને શનિવારથી તા. ૧૬, ૧૭ સુધી સવારના ૯.૩૦ વાગ્યાથી સાંજના ૮ દરમિયાન શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે આર્ટ એન્ડ ક્રાફટ એકઝીબીશન કલાકૃતિઓનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ. નિરુ‚ભાઇ માવડીયાની સ્મૃતિમાં વહેચાયેલ ચિત્રોની આવકમાંથી ૩૦ ટકા રકમ જરુરીયાત મંદ લોકોને આપવામાં આવશે.

કાર્યક્રમને સફળ બનાવવા સ્વ. નિરુ‚ભાઇના વિઘાર્થીઓમાં જીલ સંધવી, વેજલ્સ વોર, માધવી રાયચુરા, તીર્થ ત્રિવેદી, તનીશા પાબારી, રિઘ્ધિ કાપડીયા તથા વિઘ્ધી વસાણી જહેમત ઉઠાવી રહ્યા છે તેવું અબતકની મુલાકાતે આવેલા આયોજકોએ કહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.