Abtak Media Google News
  • મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ મનોહર જોશીનું નિધન
  • મૃત્યુ કાર્ડિયેક અરેસ્ટના કારણે થયું

નેશનલ ન્યૂઝ : શિવસેનાના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ મનોહર જોશીનું નિધન થયું છે. મનોહર જોશીને હાર્ટ એટેકના કારણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની આઈસીયુમાં સારવાર કરવામાં આવી હતી. અહીં તબીબોની ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી હતી. આજે સવારે 3.02 તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનું મૃત્યુ કાર્ડિયેક અરેસ્ટના કારણે થયું છે. મનોહર જોશી બીમારીના કારણે છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય રાજકારણથી દૂર હતા.

મનોહર જોશીનો જન્મ 2 ડિસેમ્બર 1937ના રોજ રાયગડા જિલ્લાના નંદવી ગામમાં થયો હતો. 1995માં તેઓ મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં મુખ્યમંત્રી બન્યા. મનોહર જોશીએ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર, મેયર, વિધાન પરિષદના સભ્ય, ધારાસભ્ય, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન, સાંસદ, કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન, લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય જેવા ઘણા હોદ્દા પર સેવા આપી હતી. મનોહર જોશીના પાર્થિવ દેહને માટુંગામાં રૂપારેલ કોલેજ પાસેના તેમના W 54 સ્થિત નિવાસસ્થાને લઈ જવામાં આવશે. તેમના અંતિમ દર્શન સવારે 11 થી 2 વાગ્યા સુધી થશે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.