Abtak Media Google News

દુનિયામાં સાત અજાયબીઓ સિવાય પણ એવા અનેક રહસ્યમયી સ્થળ છે જેના વિશે જાણવાથી વ્યક્તિ આશ્ર્ચર્યમાં પડી જાય છે અમુક સ્થળો થોડીવાર માટે વ્યક્તિના મનને પણ સન્ન કરી દે છે. આવો જ એક પથ્થર દક્ષિણ ભારતના મહાબલીપુરમ કિનારે આવેલો છે. આ પથ્થર ૪૫ ડિગ્રીના ખુણા પર લટકેલો છે. આ પથ્થર સ્વર્ગમાંથી પડ્યો હોવાની માન્યતા છે. આ વિશાળ પથ્થર પહાડીના ઢાળ પર હોવા છતા ત્યાંથી હલવાનું નામ નથી લેતો ૨૦ ફુટ ઉચો અને ૫ મીટર પહોળા પથ્થરનું વજન આશરે ૨૫૦ ટન છે. આ પથ્થર ગુ‚ત્વાકર્ષણના નિયમની પણ અવગણના કરી વર્ષાથી લટકી રહ્યો છે.

આ પથ્થરનો ભગવાનનો ચત્મકાર માને છે. વર્ષો પહેલા દક્ષિણ ભારત પર શાસન કરનાર પલ્લવ વંશના રાજાએ આ પથ્થર હટાવવા અનેક પ્રયાસ કર્યો પરંતુ તમામ નિષ્ફળ રહ્યા હતા.

આ ઉપરાંત વર્ષ ૧૯૦૮માં મદ્રાસના ગવર્નરે પણ આ પથ્થરને હટાવવા સાત હાથીની મદદ લીધી હતી તેમ છતા તે પથ્થર હલ્યો પણ નહી .હાલ તો આ પથ્થર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.