Abtak Media Google News

રાજ્યમાં રોડ અકસ્માતની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે ત્યારે આજ રોજ ચોટીલા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ૨ લોકોના મોત નીપજ્યા હતા અને ૧૬ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરુ કરી હતી અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

8055388A 577C 450F 9Ac9 E010E034195C 1676865432527

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના ચોટીલા હાઇવે પરની છે જ્યાં સાયલા હાઈવે રોડ પર પીક અપ વાહનને અકસ્માત નડ્યો હતો. ક્રિષ્ના હોટલ નજીક પિકઅપ વાન રોડની સાઈડમાં નીચે ખાબકી હતી. જેમાં બે વ્યક્તિનાં મોત ૧૬ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે ઈજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જુનાગઢના શિવરાત્રી મેળામાંથી પરત ફરેલા યાત્રીઓને નડ્યો અકસ્માત

F9Dbea32 1790 4301 8A20 6A75F9B8152B 1676865424757

જૂનાગઢના શિવરાત્રિના મેળામાંથી પરત આવી રહેલા લોકોને ચોટીલા હાઇવે પર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં પીકઅપ વાનમાં સવાર બે વ્યક્તિના મોત નીપજ્યા હતા અને ૧૬ લોકોને ઈજા પહોંચી હતી. લોકોને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ કાફાલેએ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસનો આગળની કાર્યવાહી શરુ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.