Abtak Media Google News

બનાસકાંઠા જિલ્લાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં દીકરીએ સગપણ તોડી નાખતાં તેની માતા જ જમાઈ સાથે ઘર માંડ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠા 181ની સમજાવટને પગલે હવે સમાજના અગ્રણીઓ દ્વારા મહિલાને એવી સલાહ આપવામાં આવી છે કે મૂળ સાસરીમાં તેનાં સંતાનો પાસે જતાં રહે.

બનાસકાંઠા 181 અભયમ મહિલા હેલ્પલાઇનનાં કાઉન્સેલર લક્ષ્મીબેન સોલંકી વધુ માહિતી આપતા કહ્યું કે , જિલ્લાના એક ગ્રામીણ વિસ્તારમાં રહેતી પરિણીતાએ કોલ કર્યો હતો કે મારા પતિ ત્રાસ ગુજારે છે, આથી મહિલા પોલીસ શિલ્પાબેન સાથે તેના ઘરે ગયા હતા. ત્યાં પરિણીતાની આપવીતી સાંભળી અમે પણ ચોંકી ઊઠયા હતા. તેણે એવું કહ્યું હતું કે ચારેક વર્ષ પહેલાં આ યુવક તેની દીકરીને જોવા માટે આવ્યો હતો અને બંનેની સગાઇ નક્કી થઈ હતી. સગાઈ અઢી માસ સુધી રાખ્યા બાદ દીકરીને યુવક પસંદ ન હોવાથી સગાઈ તોડી નાખી હતી. જ્યાં આ સામાજિક સંબંધ પર પૂર્ણવિરામ મૂકવાને બદલે દીકરીની માતાએ સગાઈ તોડી હતી તે યુવક સાથે ઘર માંડયું હતું.

તેમની ત્રણ દીકરી અને એક દીકરાનું કોણ? તેમનું ભવિષ્ય શું? સમાજ તેમને કેવી નજરે થી જોસે?તેમની ઇજ્જત શું રહેશે? આ સહિત તમામ મુદ્દે બે કલાક સુધી કાઉન્સેલિંગ કરતાં આખરે મહિલા અને તેની સાથે લગ્ન કરનાર યુવકને સમજાવ્યા હતા. હવે સમાજના અગ્રણીઓ દ્વારા તેને મૂળ સાસરીમાં તેનાં સંતાનો પાસે મૂકવા તજવીજ હાથ ધરી છે. પતિનું વર્ષો અગાઉ નિધન થયું હતું. જે સાસરીમાં જ રહી પોતાની વિધવા સાસુ અને ચાર સંતાનનું પાલનપોષણ કરતી હતી.

30 વર્ષના યુવક સાથે 46 વર્ષની માતા એ મંદિર માં જઇ ફૂલહાર કર્યા હતા.આ મહિલા 4 વર્ષથી 30 વર્ષીય યુવક સાથે જ રહેતી હતી 181 અભયમના કાઉન્સેલરે બે કલાક સુધી સમજાવ્યા પોતાનાં નાના 8 અને 10 વર્ષનાં સંતાનોનું ભવિષ્ય ન બગડે તે માટે તે તેના મૂળ સાસરીમાં જવા માટે માની ગયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.