Abtak Media Google News

ડો. કેશવરાવ બલીરામ હેડગેવાર જે મહાપુરુષની પ્રેરણા અને જ્ઞાનને લીધે આપણને કાર્ય કરવાની પ્રેરણા જાગૃત થાય છે, કે જેમને આજે વર્ષો બાદ પણ આજે યાદ કરીએ છીએ તે દેશભકત વિશે જાણીએ. જેમનો જન્મ ચૈત્ર સુદી એકમ-પડવો વર્ષ પ્રતિપદા 1, એપ્રિલ 1889ના રોજ થયો હતો. ફકત બાર વર્ષની ઉંમરે માતા રેવતીબાઈ અને પિતા બલીરામજીનું હૃદયદ્રાવક અવસાન થયું. કાકા આબાજી હેડગેવારની છત્રછાયામાં બાળપણ વિતાવ્યુ. છત્રપતિ શિવાજી મહારાજની વાર્તાઓમાંથી સ્ફૂર્તિ પ્રાપ્ત કરી.

નાનપણથી જ દેશભકિતની દાજ : સીતાબરડી કિલ્લા ઉપરથી યુનીયન જેક ઉતારી ભગવો ધ્વજ ફરકાવવાની યોજના.  નાનપણ સ્કુલમાં, વંદે માતરમ આંદોલનની શરૂઆત કરી. આખી હાઇસ્કુલમાં જરૂરી સફળતા. બંને નિવાસીય હાઇસ્કુલમાંથી બરતરફી થઇ. ત્યારબાદ યવતમાળ અને પૂનામાં શિક્ષણ પુરું કર્યા બાદ 1910માં કલકત્તામાં દાકતરીનો અભ્યાસ શરૂ કર્યો. આમ બંગાળ એટલે આખા ભારતનું ક્રાંતીકારી ઘર. આમ ચાલુ અભ્યાસે બંગાળી જીવન સાથે સમરસતા કેળવી લીધી. મહાન ક્રાંતીકારીઓ   શ્યામસુંદર ચક્રવર્તી,   મોતીલાલ ઘોષ, ’અમૃત બઝાર પત્રીકા’ ના સંપાદક અને તે સમયના ક્રાંતીકારી નેતાઓ સાથે ગાઢ પરિચય અને આ ક્રાંતીકારીઓ વડે દેશભકિતના કામમાં જોડાણા. આ ક્રાંતીકારીઓથી છુપી પોલીસ પણ થાકી જતા. 1914 માં એલ.એમ.એસ. ની પરીક્ષા પાસ કરી. બાદ એક વર્ષ સુધી કલકત્તામાં જ નિવાસ કરીને રહ્યા.

1916 માં નાગપુર પાછા ફરવું. નોકરી કે નિર્વાહની ચિંતા. 10 વર્ષનો મંથનકાળ, કોંગ્રેસ, હિંદુ મહાસભા તેમજ ક્રાંતીકારી દળો સાથે સામાજીક આંદોલનમાં પુરા જોશથી કાર્ય કર્યું. તેમના મનમાં સતત એક પ્રશ્ન ઊઠતો હતો કે દેશ ગુલામ કેમ બન્યો? નાગપુરમાં અસહયોગ સપ્તાહ ઉજવવા માટે નિમાયેલી સમિતિના મંત્રીઓમાં ડોકટરજી પણ હતા. 19ર0ના કોંગ્રેસના નાગપુર અધિવેશન વેળાએ ડોકટરજી કોંગ્રેસ સ્વયંસેવક દળના પ્રમુખ હતા. બહુ ઓછા લોકોને એ વાતની ખબર હશે કે આ અધિવેશનમાં ” સ્થાપના અને દુનિયાના તમામ દેશોની પૂંજીવાદી શિકતઅદથી મુકિત” માંગણીના ઠરાવના જનક ” નેશનલ યુનિયન” ડોકટર હેડગેવાર જ હતા. બાદ 19ર1 માં અસહકાર આંદોલનમાં પહેલા કારાવાસ કર્યા બાદ તમામ દેશભકિતના આંદોલનમાં અને હિંદુ સમાજમાં શું ત્રુટી છે તે અંગેનું મનન કરી. ઇ.સ. 19રપમાં વિજયાદશમીના શુભ દિવસે નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી. ફકત વાતો નહીં પણ વ્યકિત નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ ના સ્પષ્ટ વિચાર સાથે કોઇપણ કાર્યની શરૂઆત પોતાનાથી કરતા. અને એકવાર અમરાવતી નાગપુર રોડ પરેડ માટે આડગાંવથી 3પ માઇલ પગે ચાલીને ગયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.