રોજ નવ કલાકથી વધુ ઊંઘ લેનારા તેમજ જેમને આંખ ખોલીને પથારીમાંથી બહાર નીકળવામાં ભારે તકલીફ થતી હોય એવા લોકોમાં અલ્ઝાઈમર્સ જેવા યાદશક્તિ ક્ષીણ કરી દેનારા રોગો થવાનું જોખમ બમણું થઈ જાય છે. સ્લીપ પેટર્નમાં આવેલો સ્પષ્ટ ફેરફાર અલ્ઝાઈમર જેવા રોગ થવાની સિગ્નલ પણ હોઈ શકે છે. કેમ કે જાગ્રતાવસ્થા પર નિયમન રાખતા આપણા મગજના હિસ્સાને નુકસાન પહોંચ્યું છે. એવું સાબીત થાય છે. નવ કલાકથી વધુ સુતા લોકોના મગજનું કદ પણ ઘટી ગયેલું જોવા મળે છે. તેથી વિવિધ માહિતીનું પ્રોસેસિંગ કરવામાં તેમને વધુ સમય લાગે છે