Abtak Media Google News

આદિવાસી ખેત મજૂરના ૧૩ વર્ષના પુત્રને પત્ની સાથે કઢંગી હાલતમાં જોઈ જતા પતિએ હત્યા કરી નાખી

ઈન્ટરનેટ, ટીવી અને ફિલ્મોની આડઅસર હવે ઉંમરના ભેદભાવને પણ ભુલાવી રહી છે ત્યારે સમાજના અધઃપતનના એક ચોંકાવનારા કિસ્સામાં વાંકાનેરમાં ખેતમજૂરની પત્ની સાથે આડો સબંધ ધરાવતા ૧૩ વર્ષના છોકરાને કઢંગી હાલતમાં જોઈ ગયેલા પરણીતાંના પતિએ તિક્ષણ હથિયારના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી કુંવામાં ફેંકી દેતા આ ચોકવનારી ઘટનાથી વાંકાનેર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

માત્ર ૧૩ વર્ષની ઉંમરના છોકરા સાથે પરિણીતાના આડા સબંધના આ ચોકવનારી ઘટનાની વિગતો જોઈએ તો વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા મૂળ મધ્યપ્રદેશના વતની કરમસિંહ નાનજીભાઈ કિકડીયા ઉ.૪૩ રે.જાંબુખેડા, તાલુકો.ઉદયગઢ,જિલ્લો.અલીરાજપુર, મધ્યપ્રદેશવાળા પંચાસિયા ગામની સીમમાં ખેતમજૂરી કરી ગુજરાન ચલાવે છે અને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રીઓમાં બબલુ ઉ.૧૩ નામનો પુત્ર ૨૦ તારીખે રાત્રીના ગાયબ થઈ જતા વતનમાં ગયેલા કરમસિંહને તેમના સંબંધી વૈરાંગ કબુભાઈ ભેંડાનો ફોન આવ્યો હતો કે તમારો પુત્ર બબલુ ગાયબ થઈ ગયો છે.

વધુમાં બબલુ અને વૈરાંગ બનાવની રાત્રીના પંચાસિયા ગામની સીમમાં જ રહેતા ઠાકોર ભૂરાસિંગ દેહડિયાના વાડીએ જમવા ગયા હતા અને જમીને રાત્રીના ભૂરો,ભૂરાની પત્ની સવિતા, વૈરાંગ અને બબલુ ચારેય ગંજીપાના રમતા હતા અને બાદમાં રાત્રિના અગિયારેક વાગ્યે વૈરાંગ ભૂરાસિંગની વાડીની અગાસીએ જ્યારે બબલુ ભૂરાસિંગ અને તેની પત્ની સાથે વાડીની ઓરડીમાં સુતા હતા.

બાદમાં સવારે વૈરાંગ જાગતા તેને બબલુ ક્યાં તેમ પૂછતાં પતિ અને પત્નીએ બબલુ જતો રહ્યો હોવાનું જણાવતા વૈરાંગ પણ જતો રહ્યો હતો જો, કે પોતાની વાડીએ બબલુ ન પહોંચતા વૈરાંગે બબલુના પિતાને જાણ કરી તાત્કાલિક પંચાસિયા બોલાવી તપાસ કરી હતી.

જો કે બનાવની રાત્રીની સમગ્ર ઘટના ભૂરાસિંગની પત્ની સવિતા જાણતી હોવા છતાં તેણે વૈરાંગ કે બબલુના પિતાને આ બાબતની જાણ કરી ન હતી પરંતુ ફરી પાછા કરમસિંહ અને વૈરાંગ જતા સવિતાએ ભૂરાસિંગનો ભાંડો ફોળી રાત્રીના બબલુ અને પોતે શરીર સંબંધ બાંધતા બંનેને ભૂરાસિંગ કઢંગી હાલતમાં જોઈ જતા પહેલા તો બન્ને ને ખૂબ માર મારી બાદમાં સવિતાને રૂમમાં પુરી બબલુને તિક્ષણ હથિયારના ઘા માર્યાનું જણાવ્યું હતું.

બીજી તરફ ઘટનાની સત્ય હકીકત સામે આવતા મૃતકના પરિવારજનોએ ફરી બબલુની શોધખોળ કરતા અન્ય વાડીના કુવામાંથી બબલુની લાશ મળી આવી હતી.

આ ચકાવનારી ઘટના મામલે મૃતક બબલુના પિતા કરમસિંહે ફરિયાદ નોંધાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને લાશનો કબજો લઈ રાજકોટ ખાતે પોસ્ટ મોર્ટમ કરાવી આ ઘટનાનો ભેદ ઉકેલવા ફોરેન્સિક સાયન્સ વિભાગની મદદ લીધી છે.

જો કે હાલ તો સવિતાનો પતિ ભૂરો ૧૩ વર્ષના ભૂરાની હત્યા કરી નાસી છૂટ્યો છે, આ મામલે પોલીસે ભૂરાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અને તપાસનો દૌર વાંકાનેર તાલુકા પીએસઆઇ જી.આર.ગઢવીએ સાંભળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.