Abtak Media Google News

હુમલાખોરોએ જૂની અદાવતમાં જાનથી મારી નાખવાની ધમકી આપી

વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે ખાતરની સહકારી મંડળીમાં જઇ દાદાગીરી આચરી ચાર શખ્સોએ ૫૦ થેલી ખાતર આપવું પડશે કહી સંચાલકને લમધારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે સહકારી મંડળી ધરાવતા જુબેરભાઇ મહેબુબભાઇ કડીવાર ઉવ ૨૩ વાળાને (૧) ગાજીભાઇ જમાલભાઇ (ર) હનીભાઇ જમાલભાઇ વલીભાઇ (૩) ગાજીભાઇ નો છોકરો હકો તથા (૪) હનીફભાઇ નો છોકરો રહે. બધા પીપળીયારાજ તા. વાંકાનેર વાળાઓએ સહકારી મંડળી એ રાસાયણીક ખાતર લેવા આવેલ અને ફરી ખાતર નું વીતરણ કરતા હોય ખાતર ૫૦ થેલી માંગતા જુબેરભાઈએ કહેલ કે સ્ટોક ઓછો છે. બીજા માટે રાખવું પડે.

જેથી આરોપી એ કહેલ કે તારા બાપુજીએ અમો ને ઇલેકટ્રીક લાઇટ લેવા રહેણાંક મકાન નો દાખલો કે મંજુરી આપેલ નથી. તમો તમારી અહી હંકાલો છો જેથી જુબેરભાઈએ કહેલ કે ખાતર આપી છી તેથી અરોપી એ બોલા ચાલી કરી લાકડી લઇ અને જમણા હાથ ની કોણી એ મારેલ અને સાથે ના છોકરાઓ એ ગાળો બોલતા હોય તેમના બાપુજી તથા હાજીભાઇ જમાલભાઇ તથા મુસ્તુફા હુશેનભાઇ આવી જતા જુબેરભાઈને છોડાવેલ આમ છતાં આરોપીઓએ કહેલ કે આજ તો તું બચી ગયેલ છો હવે પછી જાન થી મારી નાખવાનો છે.

આમ, ખાતર અને જૂની અદાવતમાં મંડળી સંચાલક પર થયેલા હુમલા અંગે વાંકાનેર તાલુકા પોલીસે જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબી ના હથીયાર બંધી જાહેર નામાનો ભંગ કરી ગુન્હો કરવા અંગે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.