Abtak Media Google News

બાર જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાને વિજયા દશમીના પાવન પર્વે ધ્વજા રોહન અને પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ તકે તાજેતરમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી પામેલા રાજકોટ એસીબીના પીઆઇ હિતેન્દ્રસિંહ મહાવીર સિંહ રાણા , જૂનાગઢના પી. આઇ સતયેન્દ્રસિંહ જાડેજા, ગીર સોમનાથ એલસીબી પીઆઇ ચાવડા , ગીર સોમનાથ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પીઆઇ અરવિંદસિંહ જાડેજા,રાજકોટ જિલ્લા રાજપૂત સમાજના સંગઠન મંત્રી અને રાજકોટ શહેર ભાજપ મંત્રી દિવ્યરાજસિંહ ગોહિલ(ભગતભાઈ), ગુદડી કે લાલ  પ્રમુખ ક્રિપાલસિંહ ઝાલા અને વિરેન્દ્રસિંહ રાણા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ અધિકારીઓએ કાયદો અને વ્યવસ્થા અને લોકોની અપેક્ષા પૂર્ણ કરવામાં સફળતા મળે તેવી પ્રાર્થના કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.