Abtak Media Google News

પોરબંદરના ભંગાર બજારમાં એક મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારે આ વૃદ્ઘને બોથડ પદાર્થ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાયર્ો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું, ત્યારબાદ પોલીસે હત્યા કરનાર આરોપીને ઝડપી લીધો છે.

પોરબંદરના ચોપાટી વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવવાનો વ્યવસાય કરતા રમેશ ત્રિભુવનભાઈ કણજારા નામના વૃદ્ઘનો   પોરબંદરના એસ.ટી. બસ સ્ટેશનમાં પાછળ આવેલ ભંગાર બજારમાં મૃતદેહ સ્થાનિક વેપારીઓને જોવા મળ્યો હતો, ત્યારે સ્થાનિક વેપારીઓએ આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આ હત્યાના આરોપી મૂળ બગવદર ગામે રહેતા માલદે  પરમાર નામના શખ્સને ઝડપી લીધો હતો.   મરણ જનાર રમેશભાઈના દીકરા સાથે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલીના મનદુ:ખને લઈને માલદે પરમારે રમેશભાઈની બોથડ પદાર્થ વડે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

આ ઘટનામાં કમલાબાગ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ હત્યાના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો, તો સામાન્ય બાબતે બોલાચાલીમાં હત્યાના બનાવને લઈને સમગ્ર પંથકમાં ભારે ચચર્ાઓ જાગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.