Abtak Media Google News

છેલ્લા ઘણા સમયથી જીએસટી વિભાગ દ્વારા રાજ્યભરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ફરી જીએસટી વિભાગ દ્વારા ગુજરાતભરના રેસ્ટોરન્ટોને અને ધાબાને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. રાજ્યભરમાં જીએસટી વિભાગ દ્વારા અનેક રેસ્ટોરન્ટમાં મોટા પાયે દરોડા પાડવામાં આવી રહ્યા છે. રાજ્યમાં કર ચોરી અટકાવવા જીએસટી વિભાગ દ્વારા ઠેર ઠેર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના ભાગ રૂપે અમદાવાદ જીએસટી વિભાગની ઇન્વેસ્ટીગેસન ટીમ દ્વારા દરોડ પાડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સર્વપ્રથમ રાજકોટ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. રાજ્યના જીએસ્ટી વિભાગે લોડર્સ, ટેનમપટેશન, મટુકી, સની પાજી કા ધાબા, ગ્રેટ પંજાબી ધાબા, દ્વારકાધીશ, સરગમ કૂડ સહિત 10 જેટલી જગ્યાએ તપાસ શરૂ કરી હતી.

રાજકોટની 11 હોટલ સહિત રાજયની 100 હોટલોમાંથી કરોડોની કરચોરી પકડાઈ

જીએસટીની રિસર્ચ ટીમની સામે એવી માહિતી આવી હતી કે જેમાં ઓનલાઇન ફૂડ કંપ્નીઓ દ્વારા સૌથી વધારે કઈ હોટલોમાં થી ફૂડ ડિલિવરી થાય છે.? ત્યારબાદ તેમાંથી સમગ્ર ડેટા તૈયાર કરવામાં આવ્યો હતો. આ ડેટા મુજબ અને થયેલી તપાસ મુજબ ચાર થી પાંચ નામાંકિત હોટલો માંથી કોઈપણ પ્રકારની વિસંગતતા જોવા મળી ન હતી. આ જાણીતી હોટલો દ્વારા ટેક્સ કોમ્પ્લાયસ બરાબર હતું. જ્યારે અમુક હોટલો દ્વારા બિલ પાડ્યા વગર સીધો રૂપિયાનો વ્યવહાર કરવામાં આવ્યો હતો અને જેના આધારે આ કરચોરી ઝડપી લેવામાં આવી હતી.

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં રેસ્ટોરન્ટ પર જીએસટી વિભાગ દ્વારા  કડક કાર્યવાહી કરવામાં આવી છે. 100થી વધુ રેસ્ટોરન્ટ પર જીએસટી વિભાગના દરોડા પાડવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. છેલ્લા બે દિવસથી ચાલી રહેલી તપાસમાં કરોડોની કરચોરી પકડી હોવાની ચર્ચા પણ થઈ રહી છે.  મળતી માહિતી મુજબ રાજકોટની 11 હોટલમાં જીએસટી ચોરી પકડાઈ હતી. 2 હોટલનું 20 લાખથી વધુ ટર્નઓવર હોવા છતા રજિસ્ટ્રેશન ન કરાવાયું હોવાનું સામે આવ્યું છે. જેના પગલે હોટલ સંચાલકોને નોટિસ ફટકારી વેરો ભરવા આદેશ કરવામાં આવ્યો છે.

કાલાવડ રોડ, જામનગર રોડ, કુવાડવા, ધર્મેન્દ્ર રોડ પરની  હોટલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ઘણી જગ્યાએ જીએસટી ચોરી પડકાઈ હતી.  ડ્રાયફ્રૂટના વેપારીઓ બાદ હવે રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. શહેરની 15 હોટલ અને રેસ્ટોરન્ટમાં કરચોરી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. સરગમ, મટુકી, ફ્લેવર્સ સહિત 15 હોટલમાં બે દિવસથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું. જેના પગલે વેરો ભરવામાં ગોટાળા કરનારા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે.

ઑનલાઇન ફૂડ ડિલિવરી કરતી રેસ્ટોરન્ટસ જીએસટી રડારમાં

રાજકોટ, અમદાવાદ વડોદરા અને સુરતની રેસ્ટોરન્ટ કે જે ઓનલાઇન ફૂડ ડીલીવરી કરે છે તે તમામ ઉપર જીએસ્તીની ટીમ ત્રાટકી હતી.  દિવાળીમાં રેસ્ટોરન્ટ માલિકોએ મોટા પાયે જીએસટી ચોરી કર્યાની શંકા હતી. રોકડ વ્યવહાર કરી જીએસટી ચોરી કર્યાની આશંકાએ તપાસ હાથ ધરવામાં આવી હતી. ઓનલાઈન ફૂડ ડિલિવરીના કિસ્સાઓમાં પણ જીએસટી ચોરીની આશંકા થતા મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.