Abtak Media Google News

કોરોના મહામારીને અટકાવવા સરકારની ગાઇડ લાઇન મુજબ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડેલા જાહેરનામાનો ભંગ કરી પાંચ રેસ્ટોરન્ટના સંચાલકો સહિત 21 સામે પોલીસે જાહેરનામાંનો ભંગ કર્યાનો ગુનો નોંધાયો છે.

રાત્રે નવ વાગ્યા બાદ રેસ્ટોરન્ટમાં બેસાડી જમવાની વ્યવસ્થા આપવા સામે પ્રતિબંધ ફરમાવતું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમ છતાં પ્રદ્યુમનનગર પોલીસ મથક હેઠળ આવતા વોક ઓન ફાયર રેસ્ટોરન્ટ, નેપલ્લસ પિઝા રેસ્ટોન્ટ, કુરતોસ રેસ્ટોરન્ટ, જય હિન્દ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ અને આલીશાન એગ્સ રેસ્ટોરન્ટમાં પોલીસે દરોડા પાડી પાંચેય રેસ્ટોન્ટના સંચાલક અને કરર્યુ ભંગ મળી કુલ 21 સામે જાહેરનામાંનો ભંગનો ગુનો નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.