Abtak Media Google News

સુરત સમાચાર

સુરતના પાંડેસરા વિસ્તારની આશાપુરી સોસાયટીમાં રહેતા અને કેટરર્સ કારીગરોનો કોન્ટ્રાક્ટ લેતા યુવાનને ગત રાતે રૂ. ૧૦ હજારની રકમ વસૂલવા માટે ભીડભંજન આવાસ પાસે બોલાવી ત્રણ યુવાનોએ લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી હતી .

Advertisement

પાંડેસરા પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ સ્થાનિક આશાપુરી સોસાયટી વિભાગ – ૨ ખાતે રહેતા વિશાલ ગર્ગકેટરર્સના કારીગર સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ ચલાવે છે. દરમિયાન વિશાલ ગર્ગે અગાઉ રાકેશ જૈના પાસેથી ઉછીના પેટે રૂ. ૧૦,૦૦૦ લીધા હતા. આ રકમની લેતીદેતીમાં ઉશ્કેરાયેલા રાકેશ જૈનાએ ગત તા. ૧૫ ડિસેમ્બરના રોજ મધરાતે અગાઉથી તેને પતાવી દેવાનું કાવતરું રચી ઊભેલા ભીડભંજન આવાસમાં રહેતા રાકેશ ઉપેન્દ્ર જૈના, હરીશ રાજેશ રાઠોડ, કુમાર શત્રુઘ્ન બિશ્નોઈ સહિતે વિશાલ ગર્ગ ઉપર લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો .

બાઈક ઉપરથી પસાર થતા મિત્ર કૃણાલ પટેલ અને હિતેશ રાણાની નજર પડતાં વિશાલ ગર્ગ ઉપર થતાં હુમલામાં તેને બચાવવા દોડી ગયા હતા. જ્યાં તેમની ઉપર પણ રાકેશ સહિતે હાથપગમાં લાકડાના ફટકા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે જાણ થતાં પાંડેસરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસ કરતાં વિશાલ ગર્ગને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ ઉપરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પાંડેસરા પોલીસ મથકના પીએસઆઈ ડી ડી ચૌહાણે – બાતમીના આધારે વિશાલ ગર્ગની હત્યામાં સંડોવાયેલા રાકેશ જૈના, હરીશ રાઠોડ અને કુમાર બિશ્નોઈને પકડી લઈને ધરપકડ કરી હતી..

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.