Abtak Media Google News

કોરોના મહામારીથી બચવાનો એકમાત્ર અસરકારક ઉપાય છે, ઘરે રહો, સુરક્ષિત રહો સરકારની સાથે આ વાત વિવિધ ધર્મ – સમાજના વડાઓ, શ્રેષ્ઠીજનો આપણને સમજાવી રહયાં છે. આવી જ કઈંક વાત આપણને માત્ર 8 વર્ષનો નાનકડો બાળવીર કહે તો ? અને એ પણ બોર્ડ ઉપર કોરોના વાયરસનું ચિત્ર દોરીને. તો આપણને આનંદાશ્વાર્ય જરૂર થાય કે આટલા નાના બાળકને પણ ખબર પડે છે કે, ઘરે રહેવાથી કોરોનાના સંક્રમણથી બચી શકાય છે.  આજે વાત કરવી છે સુરેન્દ્રનગરમાં રહેતા આવા જ એક નાના બાળવીર પંથ રાવલની… ડોકટર માતા – પિતાના પુત્ર એવા પંથમાં નાનપણથી આરોગ્ય માટે સવિશેષ સમજ કેળવાયેલી છે.

તેમાં પણ કોરોનાના આ સંક્રમણના સમયમાં પંથ તેના ડોકટર માતા – પિતાને કામ કરતાં જોતો. પરિવારમાં કોરોના બાબતે થતી ચર્ચા તે સાંભળતો અને તેના નાનકડા મગજમાં એ વાત ફિટ બેસી ગઈ કે કોરોનાને જો હરાવવો હોય તો આપણે સૌ એ ઘરમાં જ રહેવું જોઈએ.  આ પરિસ્થિતિમાં  તેણે તેના બોર્ડમાં કોરોના વાયરસનું ચિત્ર બનાવી કોરોના વાયરસ પ્રત્યેનો તેનો અણગમો વ્યક્ત કર્યો. કોરોના વાયરસના આ ચિત્ર નિચે તેણે લોકોને કોરોના સામેની લડાઈમાં જીતવા માટેનો સંદેશ આપતાં અંગ્રેજીમાં લખ્યુ કે, INDIA FIGHTS AGINST CORONA , STAY HOME STAY SAFE . કહેવત છે કે, મોરના ઈંડા ચિતરવા ન પડે આ કહેવતને નાનકડા પંથ રાવલે કોરોના સામે લોકોને બચવા માટેના તેના ઉચ્ચ વિચારો થકી સાચા અર્થમાં યથાર્થ સાબિત કરી બતાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.