પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગર જીલ્લામાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે કાયદો વ્યવસ્થા તદ્દન ખાડે ગઇ છે. લોકોને ઘરમાંથી બહાર નીકળવુ મુશ્કેલ થઇ ગયુ છે. ધ્રાંગધ્રા તાલુકાના ચુલી-સોલડી ગામમાં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી હતી. સોલડી ગામમાં બંન્ને જુથો સામસામે આવી જતા મોટાપાયે પથ્થરમારો અને મારામારી શરૂ થઇ ગઇ હતી. ત્યાર બાદ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટીયરગેસ પણ છોડયા હતા.બીજી તરફ જ્યારે જામનગર તરફથી ધ્રાંગધ્રાના પુર્વપાલીકા પ્રમુખના બેસણામાં આવતા ક્ષત્રિય અને ગોપાલધામ મંદિર પાસે બેઠેલા ભરવાડ વચ્ચે જુથ અથડામણ થતા જોતજોતામાં અનેક બાઇક-રીક્ષા અને કારને આગચંપી લગાવી દીધી હતી. આ ફાયરીંગમાં ગોલાસણ ગામમાં રાણા ભાલુભાઇ ભરવાડનું મોત થયેલ છે અને ચિત્રોડી ગામના ખેતા નાગજીભાઇ અને વાલા નાગજીભાઇને ગંભીર ઇજાઓ પહોચી છે.
Trending
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
- ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ : 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત