Abtak Media Google News

ખેતી વિષયક ધીરાણો પૈકી જે ધિરાણે મુદત વિતિ, એન.પી.એ. હોય અને જેના ઉપર નિયમ મુજબ વ્યાજ વસુલ આવી શકે તેમ ન હોય તેવા લેણાઓ વસુલ કરવા માટે ૬ થી ૧૦ ટકા સાદા વ્યાજથી વસુલાત કરવા રાજય સરકારે ઓ.ટી.એસ. યોજના મંજુર કરેલ છે પરંતુ બેંકની લીંબડી તાલુકાના બલાણા સેવા સરકારી મંડળી લી. તથા સાયલા તાલુકાના નાગડકા સેવા સરકારી મંડળી લી. મા મંત્રી દ્વારા ગેરરીતી આચરવામાં આવેલ છે અને આ બાબતે જે તે મંત્રીઓ સામે પોલીસ ફરીયાદો થયેલ છે.

આ મંડળીની વસુલાતની કાયદાકીય પ્રક્યિામાં ઘણો સમય થાય તેમ છે. આ મંડળીના મુદત વિતી બાકીદારો હાલમાં તેમની પાસે મંડળીના લેણા પૈકી વ્યાજ જતુ કરી મુદલની વસુલાત કરવા તૈયાર છુ તેવી રજુઆતો કરેલ છે પરંતુ ફકત મુદલ વસુલ લઇ વ્યાજ માંડવાળ કરવાની સત્તા બેંક પાસે ન હોય ખેડુતોની માંગણી મુજબ વ્યાજ જતુ કરવું હોય તો આવી સત્તા રાજય સરકાર પાસે હોઇ ફકત મુદલ વસુલ લઇ વ્યાજ માંડવાળ કરવાની દરખાસ્ત રાજય સરકાર સમક્ષ રજુ કરી જરુરી મંજુરી મેળવી ત્યારબાદ આ યોજનાનો અમલ કરી શકાય.

તેથી વ્યાજ માંડવાળની દરખાસ્ત તૈયાર કરી રાજય સરકારમાં મોકલી આપવાનું સર્વાનુમને ઠરાવવામાં આવે છે અને દરખાસ્ત તૈયાર કરી મોકલી આપવાની સત્તાઓ બેંકના સીઇઓને આપવાનું સર્વાનુમતે ઠરાવવામા આવે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.