Abtak Media Google News

અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરમાં આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુરેન્દ્રનગર શહેરમાં તેમના મુખ્યમંત્રી સ્થાનમાં રહી અને સુરેન્દ્રનગર શહેરમાં અનેક પ્રકારના વિકાસ કામો થયા છે અને સુરેન્દ્રનગરના પૂર્વ પ્રમુખ  સ્વ. વિપિન કુમાર ટોલિયા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હતા ત્યારે એ સમયમાં તેમને સુરેન્દ્રનગર શહેરમાં ચાર ચાંદ લગાવી અને અનેક પ્રકારના વિકાસ કામો હાથ ધર્યા હતા.

જેમાં મોટામાં મોટો ગુજરાતના મુખ્યમંત્રી નો સિંહફાળો હોવાનું પુરવાર થઈ રહ્યું છે ત્યારે હાલમાં જેવો મુખ્યમંત્રી પદે ન હોવા છતાં પણ સુરેન્દ્રનગર ની શહેરી જનતા જેવો ને હજી પણ ભૂલી શકે તેમ નથી ત્યાર સુરેન્દ્રનગર શહેરમાં જૈન સમાજ તેમજ અન્ય સમાજ પણ સાથે રહી અને પૂર્વ પ્રમુખ સ્વ. વિપિન કુમાર ટોળીયા ની યાદ માં  જ્યારે રિવરફ્રન્ટનું નામકરણ સ્વ. વિપિન કુમાર ટોલિયા નામકરણ થનાર છે ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી સુરેન્દ્રનગર ખાતે  આવતા  ઉત્સાહ અને માહોલ શહેરમાં ઠેર ઠેર જોવા મળી રહ્યો છે.રિવરફ્રન્ટના નામકરણની વિધિમાં 111 ઢોલી સ્વાગત કરી અને પૂર્વ મુખ્યમંત્રી ને આવકારી અને સ્વાગત કરવામાં આવ્યું છે.

શહેરમાં જૈન સમાજના આગેવાન રાજુભાઈ દોશી તેમજ રાજીવ ભાઈ દોશી ધર્મેન્દ્ર ભાઈ સંઘવી ન્યાય સમિતિના ચેરમેન નગરપાલિકાના રાજુભાઈ તેમજ જૈન આગેવાનોમાં અનેક આગેવાનો આજે આ નામકરણ વિધિ માં જોડાનાર છે ત્યારે સુરેન્દ્રનગર શહેર માં રોનક કોટન હસુભાઈ તેમજ અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા ને પૂર્વ નગરપાલિકાના પ્રમુખ વિપિન કુમાર ટોલિયા ની યાદ માં આજે રીવરફ્રન્ટ નું નામકરણ કરી અને જેની યાદમાં સદાય માટે ગુંજતી રહે તેવા પ્રયાસો આજી વધુ આગળ જૈન સમાજ કરી શકશે તેવું હાલમાં રાજીવ ભાઈ દોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.