Abtak Media Google News

પહેલા સારા રોડ રસ્તા આપો ત્યાર બાદ કડક કાયદા બનાવો: રસ્તા પર રખડતા ઢોર અને ખરાબ રસ્તા અને આકરા દંડના કારણે બંધનું એલાન

હાલ સમગ્ર ગુજરાતમાં ટ્રાફિક નિયમો નું કડક પાલન અને દન્ડ અને હેલ્મેટ, પીયુસી અને વિવિધ નવા કાયદા અને કડક કાર્યવાહીના પગલે લોકોમાં રોસ વ્યાપ્યો છે. ત્યારે આ નિયમ સુરેન્દ્રનગર જિલ્લા માં પણ ગઈ થી લાગુ કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લા ના વેપારીઓ અને વાહન ચાલકોને આ કડક કાયદા સામે રોસ ફેલાયો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં ગઈ કાલ સવાર થી જ સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાંફિક પોલીસ એ જિલ્લા ના રોડ રસ્તાઓ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે હેલમેંટ અને લાઇન્સન ન હોય તો ૫૦૦ થી ૨૦૦૦ સુધીનો દન્ડ જિલ્લાના લોકો પાસેથી વસૂલવામાં આવી રહયા છે. ત્યારે બીજી બાબતે વઢવાણ અને સુરેન્દ્રનગરના મુખ્ય રસ્તાઓ અતિ બિસ્માર હાલતમાં મુકાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને સુરેન્દ્રનગર સુધી આવવા જવા માટે પારાવાર મુશ્કેલી સહન કરવી પડે છે. જ્યારે સુરેન્દ્રનગરી વઢવાણ ૫ કિમિ ના અંતર માં રસ્તામાં મસમસતા મોટા મોટા ખાડાઓ તેમજ મોટી કાકરીઓના કારણે ગામના લોકો અને શહેર ની જનતા કામ અર્થે આ રોડ પરથી અવાર નવાર પસાર થાય છે. ત્યારે વાહન મારફતે જતી વખતે અકસ્માતનો ભય રહે છે. તેમજ વિર્દ્યાથીઓ પણ વઢવાણ થી સુરેન્દ્રનગર અભ્યાસ અર્થે આવવા માટે તેવો સમયસર શાળાએ પહોચી શક્તા નથી. અને કોઇ મહિલાની ડિલેવરીના સમયે આ બિસ્માર રસ્તાના કારણે દર્દીને પણ ભારે મુશ્કેલી સહન કરવી પડે છે. તા ડિલેવરીના કેસમાં રસ્તામાં જ ડિલેવરી થવાના બનાવ પણ બનેલા હોય જેથી આવી અનેક મુશ્કેલીઓનો ભોગ ન બને તેવા હેતુસર આવનારા ચોમાસા પહેલા આ બિસ્માર રસ્તાને તંત્ર નવિનીકરણ કરવામાં આવે તેવી માંગ વાહન ચાલકો અને આમ જનતાની ઉઠી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગુરુવારે ફરી એકવાર બન્ધ નું એલાન આપવામાં આવ્યુ છે.ત્યારે સુરેન્દ્રનગરના ચોકે ચોકે બન્ધના બેનરો મારવા માં આવીયા છે. ત્યારે શહેરીજનોનું કહેવું છે કે પહેલા રોડ રસ્તા બનાવો પછી કડક કાયદાઓ બનાવો. ત્યારે જિલ્લામાં ફરી એક વાર ગુરુવારે સુરેન્દ્રનગર બન્ધનું એલાન આપવામાં આવ્યુ છે.

Surendranagar-Will-Close-Again-On-Thursday-In-Protest-Of-Black-Traffic-Laws
surendranagar-will-close-again-on-thursday-in-protest-of-black-traffic-laws
Surendranagar-Will-Close-Again-On-Thursday-In-Protest-Of-Black-Traffic-Laws
surendranagar-will-close-again-on-thursday-in-protest-of-black-traffic-laws

સુરેન્દ્રનગર જિલ્લામાં રસ્તે રખડતા ઢોરો નો આંતક વધ્યો છે. ત્યારે થોડા દિવસ પહેલા બે ગાયો જાહેર રસ્તા પર બાજવા ના પગલે એક યુવાનનું મોત નિપજીયુ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના રસ્તાઓ પણ અત્યંત ખરાબ હાલતમાં છે. ત્યારે જિલ્લામાં રસ્તાઓ ખરાબ હોવાના કારણે આવરનવાર અકસ્માત સર્જાયા કરે છે. ત્યારે આ બાબતે વેપારીઓ અને રાહેવસીઓ માં રોસ વ્યાપ્યો છે.ત્યારે પહેલા સુવિધા આપો અને રસ્તા પર રખડતા ઢોર અને રસ્તાઓ સારા બનાવો પછી કાયદા કડક બનાવો જેવા અનેક સવાલો તંત્ર સામે લોકો કરી રહા છે. ત્યારે ફરી એકવાર ગુરુવારે સુરેન્દ્રનગર બન્ધનું જાહેર જનતા અને કોંગ્રેસ પક્ષ દ્વારા એલાન કરવામાં આવ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.