મનપા દ્વારા ઘરે ઘરે જઈને સેવાઓ આપવામાં આવે છે. જેમાં કાલે ૧૦૩૧ સર્વેલન્સની ટીમ દ્વારા ૫૨૬૦૨ ઘર કુટુંબને સર્વે કરવામાં આવ્યા હતા જેમાંથી ૩૭ વ્યક્તિઓને શરદી, ઉધરસ, તાવના લક્ષણો જોવા મળ્યા હતા અને તેમને સારવાર પણ આપવામાં આવી હતી. ૫૦ ધનવંતરી રથ કાર્યરત કરેલ છે, જેમાં રોજ સરેરાશ ૨૩૨ ની ઓ.પી.ડી. સહીત ૧૧૬૧૭ વ્યક્તિઓએ સેવાનો લાભ લીધો હતો. ઉપરાંત મનપાના આરોગ્ય કેન્દ્ર ખાતે ૨૫૯૩ વ્યક્તિઓની ઓ.પી.ડી. નોંધાયેલ છે. શહેરીજનો માટે શરૂ કરેલ ૧૦૪ સેવા અંતર્ગત તા. ૨૪ મી ના રોજ કુલ ૧૯૨ ફોન આવેલ છે અને તમામ વ્યક્તિઓને સેવા ઉપલબ્ધ કરાવેલ છે, જેમાં ફોન કરનારને સરેરાશ માત્ર ૫૨ મીનીટમાં સેવા ઉપલબ્ધ કરાવેલ છે. આ જ રીતે ૧૦૮ સેવા માં ૪૪ ફોન આવેલ છે અને તેમાં પણ સરેરાશ માત્ર ૧૮.૫૦ મીનીટમાં સેવા ઉપલબ્ધ કરાવી છે. હોમ કવોરન્ટાઇન રહેલા દર્દીમાં માટે મનપા દ્વારા કાર્યરત ૨૩ સંજીવની રથ દ્વારા તા. ૨૪ ના રોજ ૬૮૮ ઘર કુટુંબની હેલ્થ ચકાસણી કરવામાં આવી હતી.
Trending
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ
- હત્યાની કોશિશના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટર ઇભલો મહારાષ્ટ્રથી ઝડપાયો
- ગાંધીગ્રામ વિસ્તારની સગીરાને ધાક-ધમકી આપી નરાધમે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું
- અમરેલી : બસ અચાનક પલ્ટી મારતા ગમખ્વાર અક્સ્માત સર્જાયો
- WWE રેસલર્સમાં ધ ગ્રેટ ખલી કરતાં પણ ઊચા છે આ રેસલર્સ
- અટલ સરોવર બુધવારથી લોકો માટે ખુલ્લુ મુકાશે: એન્ટ્રી ફી રૂ.25 રહેશે
- અમારી વિનમ્રતાને અમારી નબળાઇ સમજવાનું દુ:સાહસ કોઇ કરશો નહીં: માંધાતાસિંહજી જાડેજા
- વિરાણી બહેરા મૂંગા શાળા ટ્રસ્ટની કાયાપલટની કામગીરી પૂર્ણતાના આરે