Abtak Media Google News

વિશ્વ પર્યાવરણ દિન નિમિતે યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિર પરિસરની બહારના ગ્રાઉન્ડમાં રાજય સરકાર આયોજીત પર્યાવરણ અને સ્વચ્છતા અંતર્ગત કાર્યકમ યોજાયો હતો. સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ પ્રાદેશિક નાયબ નિયામક ગૌરાંગભાઈ મકવાણાના હસ્તે કરાયો હતો.

આ પ્રસંગે દ્વારકા શહેર ભાજપ પ્રમુખ તથા નગરપાલીકા ઉપપ્રમુખ પરેશભાઈ ઝાખરીયા, પાલીકાના ચીફ ઓફીસર સી.બી.ડુડીયા, સ્થાનીય ભાજપ અગ્રણી ઈશ્વરભાઈ ઝાખરીયા, નિલાબેન ઉપાધ્યાય, સભ્ય નીતાબેન ઠકરાર, રામીબેન નકુમ, પાલીકાના સેનેટરી ઈન્સ્પેકટર સંજયભાઈ દતાણી વિગેરે જોડાઈ યાત્રાધામને સ્વચ્છ અને સુઘડ રાખી પર્યાવરણ બચાવવા અંગે શપથ લીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.