Abtak Media Google News

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 140 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ‘ઓખી’ વાવાઝોડું આગળ વધી રહ્યું છે.

ઓખી અસરના કારણે રાજ્ય સરકારે સ્કૂલ-કોલેજમાં રજા જાહેર કરી દીધી છે.તમિલનાડુના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ અને તોફાની પવનોને કારણે તમિલનાડુના કન્યાકુમારીમાં 8 લોકોનાં મોત થયાં છે. હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં તમિલનાડુના તટીય વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.

Advertisement

કેરળમાં પણ એલર્ટ જાહેર કરાયું છે. અહીંના દરિયાકાંઠે સીઝનના પહેલા વાવાઝોડા કઢતક્કપ અસર દેખાવી શરૂ થઇ ગઇ છે. તમિલનાડુના કન્યાકુમારી જિલ્લામાં ગઇકાલ રાતથી મૂશળધાર વરસાદ અને ભારે પવનને કારણે આજે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસરગ્રસ્ત રહ્યું. ભારે વરસાદને કારણે ચાર લોકોના મોત થયાં છે. વિવિધ સ્થળોએ વૃક્ષો તેમજ થાંભલાઓ ઉખડીને પડ્યા છે. ડિસ્ટ્રિટ એડમિનિસ્ટ્રેશને લોકોને ઘરની બહાર નહીં નીકળવા કહ્યું છે. જિલ્લાના વિવિધ હિસ્સાઓમાં વીજળી નથી. શાળા કોલેજો પણ બંધ રાખવામાં આવી છે.

દક્ષિણ રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે અહીંથી પસાર થતી બે ટ્રેન આંશિક રીતે અથવા સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી છે. એડમિનિસ્ટ્રેશને એલર્ટ જાહેર કરીને સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. હવામાન વિભાગ પ્રમાણે, આગામી 24 કલાક સુધી ભારે વરસાદ ચાલુ રહી શકે છે. કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની બે ટીમો મોકલવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 47 ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આજે રાહુલ ગાંધી કેરળ માટે રવાના થવાના હતા. કેરળમાં તેઓ એક સમાપન સમારોહનું ઉદ્ધાટન કરવાા જવાના હતાં. પરંતુ ભયંકર વાવાઝોડાના કારણે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કેરળની બે દિવસની યાત્રા રદ કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.