Abtak Media Google News

કેશોદ તાલુકાના પાડોદર ગામે રહેતા નારણભાઈ મેરામણભાઈ ડેરને ત્યાં દિકરીના લગ્નનો પ્રસંગ હતો. તે પ્રસંગમાં આવેલ પાડોદર ગામના અશ્ર્વિનભાઈ જેઠાભાઈ વસરાના પત્નીનો ત્રણ તોલાનો ચેન ખોવાઈ ગયો હતો. જે ચેનની શોધખોળ કરેલ પણ મળેલ ન હતો પણ પાડોદર ગામના કાનાભાઈ આલાભાઈ ડેરને સોનાનો ચેન મળેલ હોય જેમણે પ્રસંગમાં આવેલ તમામને વાત કરી કે મને સોનાનો ચેન મળ્યો છે જેમનો હોય તે ખાત્રી આપી મારી પાસેથી લઈ જાય આ વાત વાયુવેગે પ્રસરતા ખબર પડી કે આ ત્રણ તોલાનો સોનાનો ચેન અશ્ર્વિનભાઈ વસરાના પત્નિનો છે. જેથી કાનાભાઈએ પ્રામાણિકતા અને માનવતા દાખવી અશ્ર્વિનભાઈના ઘરે ‚બ‚ જઈ ત્રણ તોલાનો સોનાનો ચેન પરત કરતા અશ્ર્વિનભાઈએ કાનાભાઈની પ્રામાણિકતા બદલ બિરદાવી જણાવ્યું હતું કે, ખરેખર આજના જમાનામાં પણ માનવતાવાદી બની પ્રામાણિકતા દાખવી તે બદલ આભાર માન્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.