Abtak Media Google News

૧૧ દિવસ સુધી ચાલનાર ધર્મોત્સવમાં દેશ-વિદેશના લાખો હરિભક્તો ઉમટશે: ૩૨ સેવા વિભાગો રાઉન્ડ ધ કલોક કાર્યરત.

વિશ્વવિખ્યાત ર્તીધામ અક્ષરમંદિર ગોંડલ સ્તિ અક્ષર દેરીના સાર્ધ સતાબ્દી મહોત્સવની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.  કાલથી ૩૦ જાન્યુઆરી સુધી ઉજવાનાર ૧૧ દિવસીય આ મહોત્સવમાં લાખો હરિભક્તોનો જમાવડો શે. આ બાબતને લક્ષ્યમાં રાખીને ખૂબ વિરાટ પાયા પર ૩૨ જેટલા સેવા વિભાગોમાં તાબડતોડ કાર્યવાહી હા ધરવામાં આવી છે

ગોંડલના ઇતિહાસમાં સૌી મોટા આ મહોત્સવની મુખ્ય વિશેષતા એ છે કે તેના આયોજની લઈ નિર્માણ સુધીની તમામ પ્રક્રિયાઓમાં હજારો લોકોનાં સેવા અને સમર્પણ રહેલાં છે. સતત ૨૪ કલાક કાર્યરત વિભાગોમાં દેશ-વિદેશના હજારો હરિભક્તો પોતાનો અમૂલ્ય સમય આપીને જોડાયા છે. ૧૨૫૦૦ ભાઈઓ અને બહેનોી યુક્ત આ સ્વયંસેવક દળની કેટલીક વિશેષતા આશ્ચર્યકારક છે. અહીં કેટલાય ડોકટરો, એન્જિનયરો,  ઉધોગપતિઓ, શિક્ષકો વગેરે  કોઈપણ જાતની અપેક્ષા વગર સેવા આપી રહ્યા છે. કેટલાય કારખાનાના માલિકોએ પોતાના કારીગરો અને મજૂરોને વેતન આપીને મહોત્સવની સેવામાં જોડ્યા છે. જસદણમાં રાજુભાઈ અને અશોકભાઈ સોલંકીએ પોતાના હેન્ડીક્રાફટનાં કારખાનામાં કામ કરતાં કારીગરોને ચાલુ પગારે ૪૦ દિવસની સેવામાં જોડ્યા છે.

આ મહોત્સવની સેવામાં સંડાસ-બારૂમ સાફ કરવાી લઈને પ્રેસ-પી.આર. જેવા ૩૨ સેવા વિભાગોમાં સેંકડો સંતો અને હજારો સ્વયંસેવકો હોંશે-હોંશે જોડાયા છે. બહેનોએ નારીશક્તિનો પરિચય આપતાં મહોત્સવ સ્ળને સાફ કરવા ૧૫ લાખ બેલાનું અન્ય સ્ળે સ્ળાંતર કર્યું. ૨૦૦ એકરની ભૂમિને સમળ કરી કાંટા, કાંકરા, કચરો વીણીને સ્વચ્છ કરી ઘરની તમામ જવાબદારીઓનું વહન કરતાં કરતાં, હોંશેહોંશે સેવામાં જોડાયેલા છે. ૧ દિવસી લઇ ૧ વર્ષ સુધીની સેવામાં કોઇપણ જાતની અપેક્ષા વગર સતત અને સખત પુરુર્ષા સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

વડીલો તો ઠીક પણ નાના બાળકો અને યુવાનોનું પણ મહોત્સવમા અપાર સમર્પણ રહેલું છે. કેટલાય બાળકોએ રાજીખુશીી ચોકલેટ, પિત્ઝા જેવી ભાવતી વાનગીઓ અને પતંગ, ફટાકડા વગેરેનો ત્યાગ કરીને, તેમાંી પૈસા બચાવી મહોત્સવની સેવામાં આપ્યા છે. ઘણાં યુવાનોએ મોબાઈલ, કપડાં વગેરે મોજશોખનાં સાધનો પર કાપ મૂકીને અહીં ર્આકિ સેવા કરી છે. ર્આકિ સેવાની સો સો હજારો યુવાનો અને યુવતીઓ અહીં નિર્સ્વાભાવે સેવા કરી રહ્યા છે.

વળી, મકરસંક્રાંતિ પર્વ ગોંડલ અને આજુબાજુના વિસ્તારમાં સેંકડો સંતો અને હરિભક્તો દ્વારા ઝોળી માંગવામાં આવી. આ ઝોળીમાં એકત્રિત યેલા અન્ન  અને ધની મહોત્સવમાં પધારનારની ભોજન વ્યવસ શે. ગોંડલની આજુબાજુના પંકના કેટલાય ઓઈલ મિલર્સ, મમરા-પૌવાનાં ઉત્પાદકો, ખેડૂતો અને અન્ય વેપારીઓ દ્વારા તનતોડ સેવા કરીને અભૂતપૂર્વ સેવા કરાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.