Abtak Media Google News

છેલ્લાં એક વર્ષથી આપણો દેશ વિનાશકારી આફતોનો સામનો કરી રહ્યો છે અને હવે આ આફતોએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. તેમાંથી મુક્તિ મેળવવા માટે સરકારથી માંડીને સામાન્ય જનતા સુધી સૌ કોઈ પ્રયાસરત છે. આપણે સૌ ઇચ્છીએ છીએ કે, દેશ સમૃદ્ધ, સુરક્ષિત અને સ્વસ્થ બને, દેશના વાતાવરણમાં ફેલાયેલી અશુદ્ધિઓ દૂર થાય અને ભારતવાસીઓ શાંતિથી પોતાનો જીવનનિર્વાહ કરી શકે. આ ઉદ્દેશ્યને બર લાવવા માટે રાષ્ટ્રસંત વસંત વિજયજી મહારાજના પાવન સાનિધ્યમાં વિશ્વશાંતિ તેમજ મહાલક્ષ્મી કુબેર અર્થ ધર્મ સમૃદ્ધિ કળશ અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે.

ચેન્નઈથી 265 કિલોમીટર તેમજ બેંગ્લોરથી 90 કિલોમીટર દૂર આવેલ માઁ પદ્માવતીની દિવ્ય કૃપા અને ઊર્જાથી ઓતપ્રોત પાર્શ્વ પદ્માવતી શક્તિપીઠ તીર્થધામખાતે 40,000 વર્ગફૂટના વિશાળ યજ્ઞમંડપમાં 108 પ્રકાંડ પંડિત દ્વારા આ મહાઅનુષ્ઠાનનું આયોજન થશે.

દેશના કલ્યાણ માટેના આ મહાવિધાનમાં મહાલક્ષ્મી માઁની કૃપા, પૂજ્ય ગુરુદેવનો સંપૂર્ણ આશીર્વાદ પ્રાપ્ત કરવા તેમજ પોતાના સૌભાગ્યને ખૂબ જ ઝડપી જગાડવા માટે કોઇપણ વ્યક્તિ પોતાની શક્તિ અને સામર્થ્ય મુજબ હવન સામગ્રી, જેમ કે ચંદનની લાકડીઓ, ગાયનું ઘી, કેસર, સુકામેવા વગેરેનું દાન આપી શ્રદ્ધા અર્પણ કરી શકે છે.

આ દુર્લભ, અત્યંત દુર્લભ મહાપ્રસંગનો લાભ તરત મેળવવા માટે અહીં નીચે જણાવેલ સંપર્કસૂત્રનો સંપર્ક કરો:( મો.નં.+91 8877988779, 8770128437) પર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.