Abtak Media Google News
  • સાળંગપુર ધામ ખાતે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા
  • ભાવિ ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન નો લાહવો લીધો હતો.

ગુજરાત ન્યુઝ : હનુમાન જયંતિના  અવસરે સાળંગપુર ધામ ખાતે   મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને દર્શન કરી મંગલ કામના કરી હતી સાથો સાથ  મહાઆરતી અને  મહાઅન્નકૂટના દર્શનનો લાહવો પણ લીધો હતો. સાળંગપુર ધામ ખાતે હનુમાન જયંતિ નિમિતે ભાવિ ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન નો લાહવો લીધો હતો.Img 20240423 Wa0001

પ્રતિ વર્ષ હનુમાન જયંતીના પાવન અવસરે સાળંગપુર ધામમાં થતા અનેકવિધ ધાર્મિક આયોજન અન્વયે આ વર્ષે સમૂહ મારૂતિ યજ્ઞ સાથે હનુમાનજી મહારાજને ધરાવાયેલા મહાઅન્નકૂટની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.Img 20240423 Wa0002 3

મુખ્યમંત્રી એ  સૌ લોકોના સુખ, શાંતિ, સમૃદ્ધિની મંગલ પ્રાર્થના પણ આ હનુમાન જયંતિ અવસરે કરી હતી.કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના સંતો, અગ્રણીઓ અને શ્રદ્ધાળુઓ હનુમાન જયંતીના આ ઉત્સવમાં ઉમંગભેર જોડાયા હતા.હનુમાન જયંતી નિમિતે હનુમાનજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.

 

 

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.