Abtak Media Google News

પરિણતા કોર્ટ મુદતે હાજર ન રહેતા અરજી રદ

શહેરના નાના મૌવા રોડ પર આવેલ કસ્તુરી રેસીડેન્સીમાં રહેતી ક્રિશ્ર્નાબાના લગ્ન યુનિવસીટી કવાર્ટર માં રહેતા રાકેશસિંહ પરમાર સાથે સને ૨૦૦૬ ની સાલમાં થયેલા અને આ લગ્ન જીવનથી તેમને એક પુત્રીનો જન્મ થયેલો હતો.

પુત્રીના જન્મ બાદ દંપતિ વચ્ચે અણબનાવ થતાં પરણીતા સંતાન સાથે માવતરે પરત ફરેલી હતી અને તેણે ફોજદારી અદાલતમાં પતિ રાકેશસિંહ પરમાર સાસુ સજજનબા પરમાર અને જેઠ રાજેશસિંહ પરમાર સામે ડોમેસ્ટીક વાયોલેન્સ એકટ તળે ફરીયાદ દાખલ કરેલી હતી અને માસીક ર૦ હજાર ભરણ પોષણ ના તથા નુકશાની વળતરના ૩ લાખની માંગ સહીતની અનેક દાદો અદાલતમાં માંગેલી હતી.

આવી સ્ત્રી અત્યાચાર ની ફરીયાદ અદાલત મા દાખલ થતાં અદાલતે તમામ સાસરાને નોટીસ કરી અદાલતમાં હાજર થવાનો હુકમ કરતાં સાસરાના તમામ સભ્યો પોતાના એડવોકેટ અંતાણી મારફતે અદાલતમાં હાજર થયેલ અને પોતાનો જવાબ રજુ કરેલ.

બાદ આ કેસ પુરાવા પર પરણીતા લાંબા સમયથી અદાલતમાં હાજર ન રહેતા સાસરાના વકીલે અદાલતને રજુઆત કરેલી કે પરણીતાને કાયદા મુજબ કોઇ રાહતની જરુર નથી જો તેને રાહતની જરુર હોય તો તે અદાલતમાં હાજર રહેવું જોઇએ આ પ્રકારની ફરીયાદ કર્યા પછી જો પરણીતા હાજર ન રહે તો તેની અરજી કાઢી નાખવી જોઇએ.

તમામ રજુઆતથી સહમત થઇ ફોજદારી અદાલતે ફરીયાદ પરીણીતા હાજર ન રહેવાના કસુર ના કારણે કાઢી નાખવાનો હુકમ કરેલો છે. આ કેસમાં સાસરીયા વતી સંદીપ અંચાણી અમીત જનાણી અને સમીમબેન કુરેશી વકીલ તરીકે રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.