Abtak Media Google News

કૃષિ પ્રધાન ભારત દેશમાં કુલ વસ્તીની એસી ટકાથી વધુ આબાદી ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે અને તેમાંથી મોટાભાગની પ્રજા સૃષ્ટિ આધારિત વ્યવસાય પર નિર્ભર છે ત્યારે દેશના સર્વાંગી વિકાસ અને અર્થતંત્રના વાસ્તવિક વિકાસમાં કૃષિક્ષેત્રનો મહત્વનો ફાળો હોય તે સ્વાભાવિક છે દેશના વિકાસ દર ની રફતાર કૃષિ ઉત્પાદન અને ખાસ કરીને ચોમાસાની સફળતા પર નિર્ભર છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખેડૂતોની આવકને બમણી કરવાની સાથે સાથે દેશના અર્થતંત્રને ૫ ટ્રિલિયન ડોલર મુકદ આપવાના મહત્વકાંક્ષી સ્વપ્નને પૂરું કરવા માટે કૃષિ વિકાસ અનિવાર્ય છે ભારતમાં કૃષિક્ષેત્રે ખૂબ જ મોટો અવકાશ રહેલો છે ત્યારે કૃષિ ઉત્પાદનોની વૃદ્ધિ ની સાથે સાથે માવજત અને ખેડૂતોને ખેત જણસી નો ભાવ વ્યાજબી મળી રહે કેવા આયોજન ની જરૂર છે દેશનું કૃષિ ઉત્પાદન સંપૂર્ણપણે કુદરત આધારિત છે દાયકામાં બે-ત્રણ વર્ષ એવા વીતે છે કે જેમાં ક્યાંક અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ને લઈને કૃષિ પાક નિષ્ફળ જાય છે અથવા તો વિડિયો વાવેતર ખર્ચ જેટલું વળતર મળતું નથી તેવા સંજોગોમાં ખેડૂતો સંપૂર્ણપણે અનિશ્ચિત આવક ને લઇને ચિંતિત રહે છે ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને પૂરું કરવા કેન્દ્ર સરકાર એક પછી એક તબક્કાવાર યોજનાઓની અમલવારી કરી રહી છે ત્યારે તાજેતરમાં પંજાબ સરકારે ફૂડ પાર્ક ની રચના કરીને પ્રથમ ફૂડ પાર્ક લોકાર્પણ કર્યું ફૂડ પાર્ક ના આવિષ્કાર થી ખેડૂતોને પોતાની પેદાશો અને ખાસ કરીને નાશવંત પેદાશોને ગર્જના ભાવે વેચવાની મજબૂરી વેચવી નહીં પડે ભારતના કૃષિ ક્ષેત્રે નાશવંત પેદાશોની ટકાવારી ૩૦થી ૩૫ ટકા જેટલી છે ઇઝરાયેલ જેવા વિકસિત દેશમાં આ ટકાવારી માત્રને માત્ર એકથી બે ટકા રહેલી છે ભારતના ખેડૂતો પોતાના ખેતરમાં પાક ઉગાડે તો તેમાં ૩૦ ટકા એવા પાક છે કે જે ખેતરથી ગ્રાહક સુધી પહોંચવામાં જરા પણ વિલંબ થઈ જાય તો તે સંપૂર્ણપણે નાશ પામે છે તેવા સંજોગોમાં પંજાબમાં શરૂ થયેલા ફૂડ પાર્કની જેમ ગુજરાતમાં પણ ફૂડ પાર્કની રચના થાય તો ફૂડ પાર્ક યોજનામાં કોલ્ડ સ્ટોરેજ ફૂડ પ્રોસેસિંગ યુનિટ લોકલ લોજિસ્ટિક અને માર્કેટિંગ નેટવર્ક સુવિધા ઉપલબ્ધ થાય ખેડૂતોને પોતાની પેદાશ ગર્જના ભાવે વેચવી ન પડે જરૂર હોય ત્યારે માલ કામ આવે તેવી વ્યવસ્થા માટે ફૂડ પાર્કની યોજના ખેડૂતો માટે કૃષિ ક્ષેત્ર માટે અને દેશના અર્થતંત્ર માટે આશીર્વાદરૂપ બનશે પંજાબ સરકાર ના પગલે ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહારથી લઈને દેશના ચારે ખૂણાના રાજ્યો જો ફૂડ પાર્ક જેવી વ્યવસ્થા ઉભી કરે તો ખેડૂતોની આવક બમણી નહીં પણ ૨૦૦ ઘણી વધે એમાં બે મત નથી કૃષિક્ષેત્રના વિકાસ માટે આ પ્રક્રિયા બસ આવી જ રીતે નિરંતર આગળ વધતી રહેવી જોઈએ આ વ્યવસ્થામાં રાષ્ટ્રીય ઉન્નતિનો વિષય માનવું જોઈએ તેને રાજકારણનું મુદ્દો ન બનાવવું જોઈએ શાસન ગમે તે પક્ષનું હોય દેશના હિતમાં કામ કરનારા તમામને સહકાર મળવું જોઈએ કૃષિક્ષેત્રના વિકાસ વગર ઉધાર નથી તે વાત સમજીને કૃષિક્ષેત્રના વિકાસ માટેના પ્રયત્નોને તમામે સહયારા ધોરણે આગળ વધારવા જોઈએ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.