Abtak Media Google News

જૈન પરંપરાઓનું અનુસરણ અને જૈન ફૂડ સ્ટોલ એ મુખ્ય વિશેષતા

નવરાત્રીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ ખેલૈયાઓનો ઉત્સાહ વધતો જોવા મળી રહ્યો છે. કોરોનાની મહામારીને લીધે બે વર્ષ કોઈ ખેલૈયાઓ મેદાનમાં ગરબા રમી શક્યા ન હતા પણ આ વખતે મેદાનમાં ગરબા રમવા માટે બધા સજ્જ થઈ ગયા છે. સામાજિક સંસ્થા જૈન વિઝન દ્વારા ખેલૈયાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સોનમ ગરબાનું આયોજન કર્યું છે અને રાજકોટના જૈન સમાજના શ્રેષ્ઠીઓએ એક જાહેર નિવેદનમાં સમગ્ર જૈન સમાજને આ બિન વ્યવસાયિક નવરાત્રી મહોત્સવમાં  જોડવા અનુરોધ કર્યો છે.

જૈન વિઝન દ્વારા આ વખતે 150 ફૂટ રોડ ઉપર શીતલ પાર્ક ચોકડી પાસે જનીશભાઈ અજમેરાના ગ્રાઉન્ડ;માં વિશાળપાયે આયોજન કરવામાં આવ્યૂ છે. રાજકોટના જૈન સમાજના શ્રેષ્ઠીઓ સર્વ  ભરત દોશી  મયુર શાહ  કુશલ કોઠારી વગેરે  રાજકોટના જૈન સમાજના સૌ ભાઈ-બહેનોને આ સોનમ ગરબા નવરાત્રિ મહોત્સવનો હિસ્સો બનવા અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે,  અને  માતાજીની આરધનાના પર્વ નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું  છે.  આ આગેવાનોએ કહ્યું હતું કે, આ સોનમ ગરબામાં બહેનો તદ્દન વિનામુલ્યે નવે નવ દિવસ રાસ ગરબા રમી શકશે અને ભાઈઓ માટે પણ ટોકન ફી રાખવામા આવી છે.  જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીએ સતત પાંચમા વરસે જૈન વિઝનના સોનમ ગરબામાં વિશ્વાસ દાખવવા બદલ સમગ્ર  જૈન સમાજનો આભાર માન્યો છે. તેમણે કહ્યું છે કે, જૈન વિઝનનું આયોજન ફક્ત અને ફક્ત જૈન સમાજ માટે જ થાય છે અને દર વરસે તેને બહોળો પ્રતિસાદ મળે છે. આ વખતે પણ અલગ અલગ જગ્યાએથી ફોર્મનું વિતરણ પૂરજોશમાં થઈ રહ્યું છે અને ખાસ કરીને જૈન સમાજનું યુવા ધન આ સોનમ ગરબામાં ઝૂમી ઉઠવા માટે થનગની રહયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.