Abtak Media Google News

વિદ્યાર્થીઓનું સન્માન, હાસ્ય દરબાર અને રાસ-ગરબાનું આયોજન: અગ્રણીઓ ‘અબતક’ના આંગણે

સમસ્ત સોજીત્રા પરીવાર રાજકોટનું રાજકોટમાં રહેતા પરિવારજનો માટે રવિવારના રોજ સત્યમ પાર્ટી પ્લોટ નાનામવા રોડ ખાતે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્નેહમિલનમાં બપોરે બે વાગ્યાથી પરીવારજનોને રકતદાન કેમ્પ રાખવામાં આવેલ છે. સાંજે પાંચ વાગ્યે શરૂ થનાર સ્નેહમિલનમાં મુખ્ય અતિથિ વિશેષપદે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.

આ સ્નેહમિલનમાં પરીવારના ગત પરીક્ષામાં સારો દેખાવ કરનાર ધોરણ ૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. સાંજના સમયે સમસ્ત પરીવાર માટે સ્નેહ ભોજન, રાસ ગરબા અને હાસ્ય કલાકાર સંજય સોજીત્રાનો હાસ્ય દરબાર તેમજ પરીવારની દીકરીઓના પ્રેરક પ્રવચનો રાખવામાં આવેલ છે. સમસ્ત સોજીત્રા પરીવારના હોદેદારોએ કુટુંબીજનોને આ સ્નેહમિલનમાં સમયસર પધારવા અને રકતદાન કેમ્પમાં ઉત્સાહપૂર્વક સહભાગી થવા અનુરોધ કર્યો છે.

સ્નેહમિલનમાં સ્કીન બેન્કની માહિતી માટે પ્રેઝન્ટેશન, રાત્રે સુરતના જાણીતા સંજય સોજીત્રાનો હાસ્ય કાર્યક્રમ ત્યારબાદ રાસ-ગરબા અને સમુહ ભોજન યોજાશે. કાર્યક્રમને સફળ બનાવવા અગ્રણીઓ ભુપતભાઈ સોજીત્રા, મુકેશભાઈ, મનિષભાઈ, દશરથભાઈ, પ્રવિણભાઈ અને સાગરભાઈએ નઅબતકથની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.