Abtak Media Google News

જામીયા મસ્જીદ બહાર ડીએસપી પંડિતની હત્યા પાછળ જવાબદાર ગીલકરને સુરક્ષા દળોએ કર્યો હતો ઠાર

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને કેટલાક સ્થાનિકો સમર્થન અને સહયોગ આપતા હોવાની વાતને વધુ એક પુરાવો મળ્યો છે. તાજેતરમાં હિઝબુલના આતંકી સઝાદ ગીલકરના સુરક્ષા દળોએ કરેલા ખાત્મા બાદ તેના મૃતદેહને આઈએસનો ઝંડો લપેટી હજારો સ્થાનિકોની હાજરીમાં અંતિમવિધિ કરવામાં આવી હતી.

૨૨મી જુને જામીયા મસ્જીદ બહાર ડીએસપી પંડિતને ટોળાએ પથ્થર મારી શહિદ કર્યા હતા. આ કૃત્યમાં ગીલકરનો હાથ હતો. આ ઘટના બાદ ગીલકર અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. સીઆરપીએફ કેમ્પ ઉપર ગ્રેનેડ હુમલામાં પણ તેની સંડોવણી ખુલી હતી. દરમિયાન સુરક્ષા દળો સાથે અથડવવામાં ૨૨મી જુને તેનું મોત થયું હતું અને જામીયા મસ્જીદમાં તેની અંતિમવિધિ કરાઈ હતી. તેની લાશને આઈએસનો ઝંડો લપેટાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.