Abtak Media Google News

વિજ્ઞાનીઓએ કરેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ચોક્કસ વય બાદ મગજની સંરચના બદલતી રહેતી હોય છે. માનવ મગજ ફક્ત ૨૫ વર્ષની વયે વૃદ્ધ બને છે. આ ઉપરાંત એક સંશોધનમાં તેવું પણ દર્શાવવામાં આવ્યું છે. મગજ અને કરોડરજ્જુમાં રહેતું સીએસએફ નામનું પ્રવાહી ૨૦ વર્ષના યુવાનો કરતાં વૃદ્ધોમાં ઝડપથી બદલાતું હોય છે.

વિજ્ઞાનીઓએ કરેલા સંશોધનમાં એવું પણ બહાર આવ્યું છે કે ઘરડા લોકો માટે બેઠાડુ જીવન ખતરનાક બની રહે છે. સંશોધન કરનારી ટીમે જણાવ્યું કે વર્ષભર કાર્યસ્થળે ત્રણથી ચાર કલાક ઊભા રહેવાથી એક વર્ષમાં ૧૦ મેરેથોન દોડવા બરોબર છે.ઘણા કલાક સુધી બેસી રહેનાર લોકો સક્રિય લોકો કરતાં બે વર્ષ ઓછું જીવે છે.તમને રોજની કસરતની ટેવ હોય તો પણ તેનાથી ખાસ ફરક પડતો નથી. જો પાંચ દિવસ સુધી દિવસમાં ત્રણ કલાક ઊભા રહીએ તો અંદાજે ૭૫૦ કેલરી ખર્ચ થાય છે. એક વર્ષમાં તમે ૩૦,૦૦૦ વધારાની કેલરી ૮૧ બિલિયન ચરબીમાંથી છુટકારો મેળવો છો.

આ અંગે થયેલા નવા સંશોધનમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે તમારી જાતને યુવાન માનવાથી મગજ ઉંમર વધવાની ગતિ મંદ પાડી શકે છે. પોતાની જાતને યુવાન માનનાર લોકો સારી સ્મરણશક્તિ ધરાવે છે. પોતાની જાતને યુવાન માને છે તેમના મગજમાં ગ્રે મેટર વધે છે. સિયોલની નેશનલ યુનિ.ના અભ્યાસ લેખકે વધુમાં જણાવ્યુ કે અમને જાણવા મળ્યું છે કે જે લોકો પોતાની જાતને યુવાન માને છે તેમનું મગજ યુવાન બની રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.