Abtak Media Google News

પત્નીને ઈજા થતાં સારવાર માટે ખસેડાય : પોલીસે પતિ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથધરી

શહેરમાં જીવંતિકાનગરમાં આવેલ કૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા દંપતિ વચ્ચે ગઈકાલે ઝઘડો થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો જેમાં પતિએ ગીરવી મુકેલા ઘરેણા પત્નીએ પરત માંગતા પતિએ આવેશમાં આવી તેનો માથું દીવાલમાં પછાડતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને તેના પતિ વિરોધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

વિગતો મુજબ શહેરના જીવંતિકાનગરમાં આવેલ કૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા મનાલીબેન હિરેનભાઈ તન્ના ઉ.26 નામની પરિણીતાએ તેના પતિ હિરેન શૈલેશભાઈ તન્ના સામે યુનીવર્સીટી પોલીસ મથકમાં મારટ કરી શારીરિક માનસિક ત્રાસ આપવા અંગે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યું હતું કે લગ્ન સાત વર્ષ પૂર્વે થયા છે મારે સંતાનમાં એક દીકરી છે પતિ કઈ કામધંધો કરતો નથી ગત રાત્રે હું ઘર નજીક રહેતા માતાના ઘરે ગઈ હતી ત્યારે પતિએ ફોન કરી દીકરીને લઈને ઘરે આવવા કહ્યું હતું જેથી હું ઘરે આવી તેને સમજાવતી હતી ત્યારે તેણે ગુસ્સે થઇને તું તારો લબાચો લઇ માવતરે જતી રહે અહી આવતી જ નહિ તેમ કહેતા મેં તેને મારા દાગીના જે ગીરવે મૂકી લોન લીધી છે તે દાગીના છોડાવી આપો પછી જતી રહીશ તેમ કહેતા ગાળો ભાંડી ડીકાપાટુનો માર માર્યો હતો અને માથું પકડી દીવાલમાં અથડાવતા હું વધુ મારથી બચવા ભાગીને માતાના થાતી રહી હતી અને ત્યાંથી હોસ્પીટલમાં દાખલ થઇ હતી તે પછી ફરિયાદ નોંધાવતા એએસઆઈ જયસુખભાઈ હુંબલએ કાર્યવાહી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.