Abtak Media Google News

પોપટપરામાં માવતરે રહેતી પરિણીતાને ત્રાસ આપતા પતિ વિરૂદ્ધ પ્ર.નગર પોલીસમાં નોધાવી ફરિયાદ

શહેરમાં પોપટપરામાં માવતરે રહેતી પરિણીતાને તેના પતિએ છરીની અણી પર તારે છૂટાછેડા આપવાની ધમકી ધમકી આપી અવાર નવાર ત્રાસ ગુજારતો હોવાથી પરિણિતાએ તેના પતિ વિરૂદ્ધ પ્ર.નગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

વિગતો મુજબ પોપટપરામાં રહેતાં શીતલબેન જયદીપભાઇ વરૂ (ઉ.વ.28)એ ફરિયાદમાં આરોપી તરીકે તેના પતિ જયદીપ દિનેશ વરૂ અને તેનો ભત્રીજો મોમલો ભોલા વરૂના નામ આપતાં જેમાં તેને જણાવ્યું હતું કે, તે હાલ તેના માતા-પિતા સાથે રહે છે અને ઘરે ઢોર રાખી પશુપાલનનું કામ કરે છે. તેમના લગ્ન વર્ષ 2012 માં મવડી ચોકડી પાસે આવેલ સ્વામીનારાયણ નગર શેરી નં.2 માં રહેતાં જયદીપભાઇ સાથે થયેલ અને સંતાનમાં એક પુત્ર છે. તેઓ છેલ્લા છ વર્ષથી રીસામણે તેના માવતરના ઘરે રહે છે.

ગઈકાલે તેઓ ઘરે હતાં ત્યારે તેના પતિનો ફોન આવેલ કે, તુ મારી સાથે છુટ્ટુ કરી નાખ અને આપડે અલગ થઇ જાય પરંતુ ફરિયાદીને સંતાનમાં એક દીકરો હોય જેથી છુટ્ટુ ન કરવુ હોય તેથી ફોનમાં ના કહેલ બાદ ફરીવાર ફોન કરીને કહેલ કે, તુ કોર્ટ આવવાનું કહેતાં જેથી તેઓ તેના મમ્મી તેજીબેન સાથે જુની કલેકટર ઓફીસ પાસે આવેલ કોર્ટની બહાર ગયેલ ત્યાં તેનો પતિ મળેલ અને સમજાવેલ છતા તે સમજેલ નહીં અને તને જોઇ લઇશ એમ કહી જતો રહેલ અને ત્યારબાદ ફરિયાદી ઘરે હતા ત્યારે જયદીપ અને તેનો ભત્રીજો મોમલો બાઇકમાં ઘસી આવી બોલાચાલી કરવા લાગેલ અને જયદીપે તેના નેફામાંથી છરી કાઢેલ અને કહેલ છુટ્ટાછેડા આપી દે નહિ તો આ છરી પોરવી દેવી પડશે તેવી જાનથી મારી નાખવાની ઘમકી આપતા તેને પ્ર. નગર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પીએસઆઇ તેરૈયા દ્વારા વધું તપાસ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.