Abtak Media Google News

સુરક્ષા સેતુ સોસાયટી અને શાંતામૃત ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે આયોજન: આયોજકો ‘અબતક’ના આંગણે

ભારતીય પ્રજાસતાક પર્વની ઉજવણીના ભાગ‚પે પૂર્વ સંધ્યાએ સાંજના ૫ થી ૭ વચ્ચે રાજકોટના હેમુગઢવી હોલમાં સુરક્ષા સેતુ સોસાયટી અને શાંતામૃત ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે અને દલિત સેવા સંઘ તથા તથાગત ફાઉન્ડેશનના યજમાનપદે ભારતીય બંધારણનું ઘડર, તેની અમલવાર, બંધારણની વિવિધ કલમો, વિવિધ વર્ગોની જોગવાઈઓ, બંધારણની વિશેષતાઓ અને બંધારણ ઉપરના કાયદાઓ સંદર્ભના વિવિધ વિષયોની છણાવટ કરતો ‘ભારતીય બંધારણ અને કાયદાઓ’ નામે એક કાર્યક્રમ યોજવામાં આવશે.

આ સેમિનારમાં અધ્યક્ષ તરીકે રાજકોટના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત (આઈપીએસ), ઉદઘાટક તરીકે બંછાનિધી પાની (આઈએએસ) (મ્યુનિસિપલ કમિશનર રાજકોટ), મુખ્ય મહેમાન તરીકે કૃનાલ સ્ટ્રકચર ઈન્ડિયા પ્રા.લિ.ના સુત્રધાર અને જાણીતા ઉધોગપતિ અરવિંદભાઈ દોમડિયા, મુખ્ય વકતા તરીકે સોશ્યલ જસ્ટીસ વાલજીભાઈ પટેલ, જાણીતા કટાર લેખક અને કર્મશીલ ચંદુ મહેરિયા, હાઈકોર્ટના સિનિયર એડવોકેટ દિગંત જોશી ઉપસ્થિત રહેશે.

સ્વાગત બાબુભાઈ ડાભી (સામાજિક આગેવાન) કરશે અને ભૂમિકા ડો.સુનિલ જાદવ (જાણીતા લેખક-પત્રકાર-કર્મશીલ) આપશે. સંચાલન લીમડી કોલેજના પ્રોફેસર ડો.દલપત ચાવડા કરશે. આમંત્રણ આપવા સહિતની બધી જ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ સેમિનારને સફળ બનાવવા માટે કે.જી.કનર, દિલીપભાઈ સિંગરખીયા, પી.યુ.મકવાણા, માવદિયા, વજુભાઈ સીંગરખીયા, ચંદુભાઈ પરમાર, મોહનભાઈ પરમાર, અશોક દામોદરા, વિશ્મયવાળા, હમીરભાઈ પરમાર, એલ.બી.ભાસા સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.