Abtak Media Google News

૨ હજારથી વધુ લોકો થશે એકઠા: ગરીબ પરિવારને આર્થિક-મેડિકલ સહાય અપાશે

કોરાટ પરિવારના ૧૧૯ વિદ્યાર્થીઓનું શિલ્ડ આપી સન્માન કરાશે

સમસ્ત કોરાટ પરિવાર રાજકોટ દ્વારા પ્રથમ ભવ્ય સ્નેહમિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહનું આવતીકાલે સાંજે ૫:૦૦ કલાકે સેરેમની કલબ, મોટા મવા, કાલાવડ રોડ, રાજકોટ ખાતે ભવ્ય આયોજન કરેલ છે.

Advertisement

આ કાર્યક્રમની વધુ માહિતી માટે કોરાટ પરિવારના પ્રમુખ વિજયભાઈ કોરાટ, ઉપપ્રમુખ જયેશભાઈ જગજીવનભાઈ, સંજયભાઈ મુળજીભાઈ, જયદીપભાઈ નીલેશભાઈ, મહામંત્રી જયદિપભાઈ વિનુભાઈ, મંત્રી ધર્મેશભાઈ પરસોતમભાઈ, પ્રવિણભાઈ બાબુભાઈ, ઉપમંત્રી રાજેશભાઈ ગંગદાસભાઈ, કલ્પેશભાઈ ચતુરભાઈ, ખજાનચી ભુદરજીભાઈ બચુભાઈ, સેક્રેટરી રક્ષિતભાઈ દર્શકભાઈ તેમજ આયોજક પંકજભાઈ ગોવિંદભાઈ કોરાટે અબતક મીડિયાની મુલાકાત લીધી હતી.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કરશનદાસબાપુ (પરબધામ), કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, ઉપરાંત પરિવારના મોભી જસુમતીબેન કોરાટ, પ્રિયવદનભાઈ કોરાટ, પ્રશાંતભાઈ કોરાટ તેમજ અન્ય જીલ્લામાંથી પણ કોરાટ પરિવારના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં કુલ ૩૯ દાતાઓનું સન્માન કરવામાં આવશે તે ઉપરાંત પરિવારના ડોકટર, વકીલ, પોલીસ કોન્સ્ટેબલ અને એન્જીનીયરમાં કુલ ૨૭ સન્માન કરવામાં આવનાર છે અને પરિવારના કુલ ૧૧૯ હોશિયાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માન કરવામાં આવશે. આ સાથે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત સમસ્ત કોરાટ પરિવાર – રાજકોટ દ્વારા વિવિધ સેવાકિય તેમજ પરિવારના વિકાસ માટે કાર્યો પણ કરવામાં આવશે જેમાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની ફિ, હોસ્પિટલ ખર્ચ, પિતા વગરની દીકરીના લગ્ન સમયે આર્થિક સહયોગ માત્ર કોરાટ પરિવારના સભ્યોને પણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.