Abtak Media Google News

ત્રણેય સિંહબાળ તંદુરસ્ત હોવાની ઝૂની જાહેરાત

જુનાગઢ સક્કરબાગ ઝૂ માંથી સિંહ પ્રેમીઓ માટે મોઢા મીઠા કરવા જેવા સમાચારો મળી રહ્યા છે, અહીંના સક્કરબાગ ઝુ ની એક સિંહણ દ્વારા એકી સાથે 3 સિંહ બાળનું  અવતરણ થતાં સક્કરબાગ ઝૂ સિંહ પરિવારમાં 3 સભ્યોનો વધારો થયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સક્કરબાગ ઝૂમાં ધારીથી લાવવામાં આવેલા સિહ અને ડી – 8 નામની સિંહણના મેટિંગ થકી ગર્ભવતી બનેલી ડી – 8 નામની સિંહણ એ શનિવારે તંદુરસ્ત 3 સિંહબાળનો જન્મ આપ્યો છેેેે, અને  માતા તથા સિંહબાળ તંદુરસ્ત અને તેમની સ્થિતિ સામાન્ય હોવાનું સકરબાગ ઝુ દ્વારા જાણવા મળી રહ્યું છે. આ અંગે સકરબાગ ઝું ના અધિકારીઓ દ્વારા જાણવા મળેલી વિગતો અનુસાર પ્રસૂતા સિંહણ તથા ત્રણેય સિંહબાળ ઉપર સીસી કેમેરાના મોનીટરીંગ સાથે પૂરતી દેખરેખ અને સારસંભાળ લેવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.