Abtak Media Google News

ધીરધારનો વ્યવસાય કરતા અને શેઠની છાપ ધરાવતા ખેડૂતની છરીના ઘા ઝીંકી ઢીમઢાળી દીધુ લૂંટના ઈરાદે કે બાકીદારો તરફ ખૂન કર્યાની આશંકા: કોલ ડિટેઈલના આધારે તપાસનો ધમધમાટ

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખાખડાબેલા-૬ ગામની સીમમાં આધેડ ગરાસીયા ખેડૂતની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યાના બનાવની જાણ પોલીસને તા ઉચ્ચ અધિકારી દોડી ગયા હતા.

પોલીસ મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. ર્એ ખસેડી નાશી છૂટેલા હત્યારાને ઝડપી લેવા અને હત્યાનું કારણ જાણવા પ્રયાસ હા ધર્યો છે.

પોલીસમાંી પ્રાપ્ત વિગત મુજબ પડધરી તાલુકાના ખાખડાબેલા-૬ ગામની સીમમાં લોહી લુહાણ હાલતમાં આધેડ પડયા હોવાની પડધરી પોલીસ મકના સ્ટાફને જાણ તાં સ્ટાફ દોડી જઈ ગંભીર હાલતમાં આધેડને હોસ્પિટલે ખસેડી તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસે ઓળખ મેળવવાના પ્રયાસમાં મૃતક ખાખડાબેલા-૬ ગામના અજીતસિંહ ઉર્ફે શેઠ હરિસિંહ જાડેજા નામના ૫૫ વર્ષીય આધેડ હોવાનું કુલતા તેના પરિવારજનો દોડી આવ્યા હતા.

પ્રામિક તપાસમાં અજીતસિંહ જાડેજાની છ ી વધુ છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવામાં આવી છે. અજીતસિંહ જાડેજા જમીનનો સોદો કરવા ગયા હતા અને તે ‚પિયા લઈ ગયા હતા. આ હત્યા પાછળ લૂંટનો ઈરાદો હોવાનું પ્રામિક તપાસમાં બહાર આવી રહ્યું છે. પોલીસ દ્વારા મોબાઈલ ડિટેઈલ બિલ સહિત અલગ-અલગ એંગલ પર હત્યાની તપાસનો ધમધમાટ ચલાવી ટૂંકમાં હત્યાનો ભેદ ઉકેલાય જશે તેવી પોલીસે શકયતા દર્શાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.