Abtak Media Google News

આઠ જેટલા શખ્સોએ બંને ભાઈઓ પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી ફરાર.

ખાંભા તાબાના મોટા સમઢીયાળા ગામે સાંજે સાત આઠ શખ્સો દ્વારા તિક્ષ્ણ હથીયાર તેમજ બોથડ પદાર્થ વડે હુમલો કરતા ગામના બે સગાભાઈ પૈકી એકનું મોત નિપજેલ છે. તેમજ ઈજાગ્રસ્તને સારવાર અર્થે અમરેલી ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતા પોલીસે ધોરણસરની તપાસ હાથ ધરી હત્યારાઓની ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

Advertisement

મોટા સમઢીયાળા ગામે સાંજે ૬ થી ૬.૩૦ વચ્ચે પરસોતમ અરજણભાઈ દોંગા તથા ગોરધન અરજણભાઈ દોંગા સાથે ગઈકાલે માર્ગના કામ બાબતે થયેલી બોલાચાલી બાદ આજેઅજાણ્યા સાત આઠ શખ્સોએ હિચકારો હુમલો કરતા ઈજાગ્રસ્ત બંને ભાઈને સાવરકુંડલા ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.

સાવરકુંડલા ખાતે ગંભીર હાલતમાં ખસેડાયેલા બંને ભાઈ પૈકી પરસોતમ અરજણભાઈનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજેલ તેમજ ઈજાગ્રસ્તક ગોરધન અરજણભાઈને વધુ સારવાર અર્થે અમરેલી ખાતે ખસેડવામાં આવ્યો છે.મોટા સમઢીયાળા ખાતે સાંજે સર્જાયેલી આ બનાવની જાણ પોલીસને થતા ખાંભા પોલીસના સબ ઈન્સ્પેકટર તથા મદદનીશોએ ઘટના સ્થળે પહોચી જઈ હત્યાના બનાવના આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.