Abtak Media Google News

લોકોને સરકારની તમામ યોજનાની માહિતી મળી રહે અને લોકો વધારેમાં વધારે સરકારી યોજનાનો લાભ લઈ શકે અને તેમના જે કોઈ પ્રશ્ર્ન હોય તેનું શકય હોય ત્યાં સુધી સ્થળ નિરાકરણ અથવા તેને તે માટે કઈ સરકારી કચેરીનો સંપર્ક કરી તેના પ્રશ્ર્નનું ઝડપી નિરાકરણ આવે તે માટે માહિતી આપવામાં આવે છે.

જે અંતર્ગત લખતર તાલુકા વડલા ગામે રાત્રી સભાનું આયોજન કરાયું હતું. આ સભા લખતર મામલતદાર ગોપાલદાસ હરદાસાણી, તાલુકા વિકાસ અધિકારી યોગેશ રાવલ, પી. એસ. આઈ આઈ વાય. એસ. ચુડાસમા, વડલા સરપંચ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જયારે હાજર ગ્રામજનો દ્વારા હાલમાં રવિ પાકનું વાવેતર ચાલુ હોય મોટા પ્રમાણમાં નર્મદા કેનાલ અને પાણીના પ્રશ્ર્નોની રજુઆત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.