Abtak Media Google News

ટ્રેનના છાપરા-પગથીયા પર બેસી મુસાફરી ન કરવા રેલવેની અપીલ.

પશ્ર્ચિમ રેલવે દ્વારા ભાવનગર ડીવીઝનના જુનાગઢ તથા સત્તાવાર સ્ટેશનો વચ્ચે લીલી પરિક્રમા મેળા દરયિમાન શ્રઘ્ધાળુઓની સુવિધાને ઘ્યાનમાં લઇને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રેલવે મંત્રી  પિયુષ ગોયલના કુશળ અનુભવી નેતૃત્વ તથા પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજર એ.કે.ગુપ્તાના માર્ગદર્શન હેઠળ આ પરિક્રમા મેળા દરમિયાન વધારાની ટ્રેનો ચલાવવા તથા વધારાના કોચોની વ્યવસ્થા કરીને પશ્ર્ચિમ રેલવેએ પ્રસંસનીય પ્રયાસ કર્યા છે.

અમદાવાદના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માના જણાવ્યાનુસાર મેળા દરયિમાન પ્રવાસીઓને બધી સહાય આપવામાં આવી છે. ર૪ નવેમ્બર સુધી જુનાગઢ તથા સત્તાધાર વચ્ચે દરરોજ સ્પેશીયલ  ટ્રેન ચલાવવામાં આવશે. તા. ૧૭ થી ર૪ નવેમ્બર સુધી રાજકોટ- જુનાગઢ- રાજકોટ વચ્ચે તથા સોમનાથ- જુનાગઢ- સોમનાથ વચ્ચે વધારાની ટ્રેન ચલાવવામાં આવશે.

આ ઉપરાંત તા. ૧૭ થી ર૪ નવેમ્બર સુધી ટ્રેન નં. ૨૨૯૫૭/૨૨૯૫૮ વેેરાવળ- અમદાવદા – વેરાવળમાં એક થર્ડ એસી, એક સ્લીપર તથા એક જનરલ કોચ ટ્રેન નં. ૧૯૧૧૯/૧૯૧૨૦  અમદાવાદ-સોમનાથ એકસપ્રેસમાં ચાર સામાન્ય કોચ  ટ્રેન નં. ૫૯૫૦૭/૫૯૫૦૮ સોમનાથ-રાજકોટમાં ચાર જનલર કોચ તથા ટ્રેન નં. ૧૧૪૬૩/ ૧૧૪૬૪/ ૧૧૪૬૫/ ૧૧૪૬૬ જબલપુર-  સોમનાથ એકસપ્રેસમાં એક જનરલ કોચ જોડવામાં આવશે. મીટર ગેજ ખંડની ટ્રેન નં. ૫૨૯૫૨/૫૨૯૫૧ જુનાગઢ-દેલવાડા તથા ટ્રેન નં. ૫૨૯૫૬/ ૫૨૯૫૫ જુનાગઢ-ધારી પેસેન્જર ટ્રેનમાં પણ એક વધારાના કોચની વ્યવસ્થા કરવામાં આવી છે.

પશ્ર્ચિમ રેલવે પોતાના પ્રવાસીઓને અનુરોધ કરે છે કે કૃપા કરી છાપરા પર પગથીયામાં પ્રવાસ ન કરે. આ ખતરનાક હોવા સાથે ગેરકાનુની પણ છે. જેનાથી જાનનો ખતરો થઇ શકે છે. પશ્ર્ચિમ રેલવેના વહીવટી તંત્ર દ્વારા ૧૦૦ થી વધુ રેલવે સુરક્ષા ફોર્સ સ્ટાફ સુસજજ કરવામાં આવ્યો છે. હાલમાં સ્થિતિ સામાન્ય છે તથા તેની નજર હેઠળ મુખ્ય સુરક્ષા કમિશ્નર દ્વારા જુનાગઢમાં કેમ્પ પણ કરવામાં આવ્યો છે. ત્યાં સ્થાનીક વહીવટી તંત્ર દ્વારા પણ સંકલન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.